ગુજરાતી કેળવણી પરિષદ અમદાવાદ અને જામનગર કેન્દ્ર નાં સયુંકત ઉપક્રમે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર નાં સહયોગથી એકદિવસીય "શિક્ષણ વિમર્શ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં જામનગર શહેર જિલ્લાના ૨૫૦ થી વધારે શિક્ષકો હાજર રહ્યાં હતાં.
બાળ વાર્તા દ્વારા શિક્ષણ વિષયે ગીરા બેન ભટ્ટ મારી શાળાને મેં ઉત્તમ કેવી રીતે બનાવી એ વિષયે મહિપાલ સિંહ જેતાવત
તથા માણસાઈ ની કેળવણી વિષયે મનસુખભાઈ સલ્લા એ મનનીય પ્રવચન આપ્યાં હતાં.
કાર્યક્રમ નાં પ્રારંભ માં વિકાસ ગૃહ નાં પ્રમુખ કરશનભાઈ ડાંગર એ સૌ નું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સૌ વક્તાઓ નું સૂત્ર માળા અને ખેસ થી સન્માન કર્યું હતું.
કાર્યક્રમ નું સંચાલન સંયોજક દર્શન બેન પટેલ અને પાર્થ પંડ્યા એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા. પ્રભુ ભાઈ ચાંદ્રા, આશર સાહેબ, ડૉ ભંડેરી, કાનાણી સાહેબ, વાદી સાહેબ, વસોયા સાહેબ, દિલીપ ભાઈ વ્યાસ દ્વારા જેહમત ઉઠાવા માં આવી હતી.