ઓડિશાના ગજપતિ જિલ્લામાં 60 વર્ષીય પુરુષે વિધવા પર બળાત્કારના ઈરાદે જાતીય હુમલો કરવામાં આવતા મહિલાઓના એક જૂથે તેની હત્યા કરી નાખી હતી એટલું જ નહી અને તેના શરીરને બાળી નાખ્યું હતું. આ કિસ્સામાં મહિલાઓનો રોષ કેટલો હશે તે એના પરથી સમજી શકાય કે મહિલાઓએ 2 પુરુષ સાથીની મદદથી એ કામાતુરને પતાવી દીધો અને કહ્યું, ન્યાય આમ જ થાય. આ કેસમાં આઠ મહિલાઓ સહિત કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હાડકાં અને રાખ મળી આવી હતી
મૃતકના પરિવારે પુરુષ ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે મૃતકની શોધખોળ શરૂ કરી હતી. મોહના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બસંત સેઠીએ જણાવ્યું હતું કે, "અમને ખબર પડી કે પુરુષની હત્યા કરવામાં આવી હતી અને પછી તેના શરીરને બાળી નાખવામાં આવ્યું હતું. ગામથી લગભગ બે કિલોમીટર દૂર જંગલ નજીક એક ટેકરી પરથી પોલીસે બળી ગયેલા હાડકાં અને રાખ મળી આવી હતી.
દસ લોકોની ધરપકડ કરવામાં આવી
તેમણે કહ્યું કે ગામના એક વોર્ડ સભ્ય સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 3 જૂનની રાત્રે બની હતી જ્યારે આ વ્યક્તિએ ગામમાં 52 વર્ષીય વિધવા પર બળાત્કાર ગુજાર્યો હતો. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે તેના અગાઉના જાતીય હુમલાનો ભોગ બનેલી મહિલાઓ સહિત કેટલીક મહિલાઓએ બાદમાં એક બેઠક યોજી અને તેને મારી નાખવાનો નિર્ણય લીધો.
પોતાના દુઃખનો અંત લાવવા માટે આ પગલું ભર્યું
તેઓ તેના ઘરે ગયા જ્યાં તે સૂતો હતો અને 52 વર્ષીય વિધવાએ અન્ય લોકોની મદદથી પુરુષની હત્યા કરી. બે પુરુષોએ પણ મહિલાઓને મદદ કરી. "ધરપકડ કરાયેલી છ મહિલાઓએ સ્વીકાર્યું છે કે તે પુરુષ દ્વારા તેમનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને તેમણે પોતાના દુઃખનો અંત લાવવા માટે આ પગલું ભર્યું હતું.
ક્યારેય કોઈ મદદ માંગી ન હતી
ગજપતિના પોલીસ અધિક્ષક જતીન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, "મહિલાઓએ પુરુષ (મૃતક) વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી ન હતી અને ક્યારેય કોઈ મદદ માંગી ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજૂનાગઢના સાઇબર ક્રાઇમના ગુન્હામાં હિરલ બા જાડેજા અને તેમના સાગરીત એક દિવસના રિમાન્ડ ઉપર
June 11, 2025 09:32 AMમોંઘું થયું સપનાનું ઘર ખરીદવું: ૫ વર્ષમાં આમ બદલાઈ રિયલ એસ્ટેટની સુરત
June 10, 2025 10:06 PMપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech