મોરઝરમાં રહેતા ભરવાડ પરીવારની યુવતિ એકાએક ગુમ

  • June 06, 2025 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
મુળ ખંભાલીયા વિસ્તાર અને હાલમાં ભાણવડ તાલુકાના મોરઝર ગામે વસવાટ કરતી ભરવાડ જ્ઞાતિની ૧૯ વર્ષની યુવતિ એકાએક ગુમ થતાં ચકચાર મચી છે. પરીવારે પોલીસને જાણ કરતા પોલીસે ગુમ નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

ભાણવડ તાલુકાના મોરઝર ગામે ભરવાડ મરછાભાઇ મુળુભાઇ વેશરાનો પરીવાર વસવાટ કરે છે અને પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે પરીવારમાં તેની પુત્રી હીરુબેન (ઉ.વ.૧૯) ઘરેથી કોઇને કહ્યા વગર એકાએક નિકળી જતાં પરીવારે અનેક ઠેકાણે તપાસ હાથ ધરી હતી, પરંતુ તેનો પતો આજદિન સુધી મળી શકેલ નથી.

તેથી તેના પિતાએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, પોલીસે ગુમ નોંધ દાખલ કરી તપાસ શ‚ કરી છે, તપાસ કરનાર પોલીસ ચીરાગસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુમ થનાર યુવતિએ મહેંદી કલરનો ડ્રેસ પહેર્યો છે, ઉપરોકત યુવતિનો કોઇને પતો મળે તો ભાણવડ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પોલીસ ચીરાગસિંહ જાડેજાએ અપીલ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application