વડિયામાં પત્નીનું મૃત્યુ થતા અંતિમક્રિયા માટે લંડનથી વડિયા આવ્યો, ફરી લંડન જવા નિકળ્યો ને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કાળને ભેટ્યો

  • June 12, 2025 08:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વડિયાના આશાસ્પદ યુવાન અને રામપુરના મહિલા અને બાળકીનું નિધન થયું છે.  લંડન સ્થાયી થયેલા અર્જુન મનુભાઈ પટોડિયા નામના 37 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું છે. પત્નીનુ લંડન સ્થિત અવસાન થતા તેમની વિધિ માટે વડિયા આવ્યા હતા 


માતા-પિતા વડિયા રહે છે

વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં તેમના પિતાનો પરિવાર વસવાટ કરે છે. મૃતકને લંડન સ્થિત બે દીકરીઓ છે. પત્નીનું થોડા સમય પેહલા જ લંડનમાં મૃત્યુ થયું હતું. રામપુરના કાંતાબેન પાઘડાળ (ઉં.વ. -65) અને નવ્યા પાઘડાળ (ઉં.વ. -3)નું નિધન થયું છે.


માતા સુરતમાં રહે છે

જાણવા મળતી વિગત મુજબ મૂળ વડિયાનાં અને છેલ્લા 15 વર્ષથી લંડન સ્થાયી થયેલા અર્જુનભાઈના પત્નીનું લંડનમાં થયું હતું. અર્જુનભાઈને ચાર અને આઠ વર્ષની બે દીકરીઓ છે. તેમના માતા સુરતમાં રહે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application