ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના ગઢેચી વડલાથી કુંભારવાડા સહિતના વિસ્તારમાંથી પસાર થતી ગઢેચી નદીના શુદ્ધિકરણ માટેની યોજના હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ યોજનામાં ધોબી સોસાયટીથી કુંભારવાડા સુધીમાં ૮૦૦થી પણ વધુ ગેરકાયદેસર દબાણો અડચણરૂપ હોય યોજના ખોરંભે ચડી હતી.દરમ્યાનમાં મહકપાલિકા દ્વારા દબાણકર્તાઓ પાસે તમામ પાકા દબાણોના આધારપુરાવાઓ નિયત સમય મર્યાદામાં રજૂ કરવા નોટીસ આપવા સહિતની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મહાપાલિકા દ્વારા ગેરકાયદેસર કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતું. જ્યારે ધોબી સોસાયટીમાં એક ધાર્મિક સ્થાનક સહીત ૬૬ ગેરકાયદેસર પાકા દબાણો યથાવત હોય ૬૬ પૈકી ૪ મિલ્કતોના આધાર-પુરાવા મહાપાલિકા તંત્ર સમક્ષ રજૂ થયા હોય બાકી રહેલા તમામ ૬૨ ગેરકાયદેસર પાકા દબાણો હટાવવા માટે આજે મંગળવારે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અમે દબાણ હટાવ સેલના કાફલાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજકંપનીના અધિકારીઓ અને કર્મચારીઓની ટુકડીઓને સાથે રાખી કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રએ હાથ કાર્યવાહીમાં ધોબી સોસાયટીમાં આવેલી બે માળની ચાંદ મસ્જિદ સહિતના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હોવાનું તેમજ સાંજ સુધીમાં તમામ ૬૨ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે તેમ એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. દબાણ હટાવ કાર્યવાહીના પગલે સ્થળ પર લોકોના ટોળાં ઉમટ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech