અખંડ સૌભાગ્યવતી: જામનગરમાં વડસાવીત્રીની આસ્થાપૂર્વક ઉજવણી

  • June 10, 2025 05:12 PM 

જામનગરમાં વડસાવિત્રીની જુદા-જુદા શિવ મંદિરોમાં બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, શહેરના સત્યનારાયણ મંદિર, વૈજનાથ મંદિર, ભીડભંજન મહાદેવ સહિતના મંદિરોમાં શ્રઘ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, વૈદીક પંચાગ મુજબ જેઠ મહીનાની પૂર્ણિમા તિથીની શરૂઆતમાં વડસાવિત્રીનું પર્વ ઉજવવામાં આવે છે. 


જેનું સમાપન આવતીકાલે પૂર્ણ થશે, આ વ્રતમાં સોભાગ્ય મહીલાઓ સાત પ્રકારના અનાજ તેને બે કપડાથી ઢાંકીને ટોપલીમાં સાવિત્રી માઁની મૂર્તિ રાખીને ધૂપ, દીવો, ચોખા, કુમકુમ, સુતરનો દોરો વગેરેથી વડના ઝાડ પાસે સુતરના દોરાથી પૂજન-અર્ચન કરવામાં આવે છે અને પરણીત મહીલાઓ દ્વારા ૭, ૧૧ કે ૨૧ વખત પ્રદશીણા ફરી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. સાથોસાથ સત્યાવાન સાવિત્રીની વાર્તાનું પઠન પણ કરવામાં આવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application