માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ઉધોગોને માર્ગદર્શન આપવા ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સનની નિમણૂક કરાશે

  • June 10, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરજદારોએ નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે તા.૧૬ જૂન સુધીમાં અરજી કરવાની રહેશે


જામનગર તા.૧૦ જૂન, ખાધ સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા નવા પ્રોસેસિંગ યુનિટની સ્થાપના તેમજ વિસ્તરણ કરવા માટે ખર્ચના ૩૫ ટકા સહાય અપાય છે. જિલ્લામાં આ યોજના અન્વયે દરેક તાલુકામાં વ્યક્તિગત માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ઉધોગોના અરજદારને માર્ગદર્શન તેમજ સંલગ્ન કામગીરી માટે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સનની નિમણૂક કરવામાં આવનાર છે.

​​​​​​​ જે માટે ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા, નિવૃત સરકારી બેંક અધિકારીઓ, વીમા એજન્ટો, બેંક મિત્રો સહિતના અરજદારો અરજી કરી શકશે. અરજી નાયબ બાગાયત નિયામક કચેરી, જિલ્લા સેવા સદન–૪, રૂમ નં. ૪૮, વિક્ટોરિયા પુલ પાસે, રાજ પાર્ક, જામનગર ખાતે તા.૧૬ જૂન સુધીમાં મોકલી આપવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદી જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application