જેના લગ્ન હતા એ જ દુલ્હનને કાળ ભેટી ગયો...જાનૈયાઓને લઈ જતી જીપ ટ્રક સાથે અથડાઈ ને 5 લોકોના મોત, 8 ઘાયલ

  • June 11, 2025 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનના જયપુરથી એક અકસ્માતના સમાચાર આવ્યા છે. જાનૈયાઓને લઈ જતું એક મલ્ટી-યુટિલિટી વાહન નેશનલ હાઇવે 148 પર એક ટ્રક સાથે અથડાયું. જેના કારણે દુલ્હન અને ચાર લોકોના મોત થયા. જયારે આ ઘટનામાં 8 અન્ય લોકો ઘાયલ થયા છે.


જાનૈયાઓ મધ્યપ્રદેશથી પરત ફરી રહ્યા હતા

આ અકસ્માત દૌસા-મનોહરપુર પર રાયસરના ભટકબાસ ગામ પાસે થયો હતો. જાનૈયાઓ મધ્યપ્રદેશથી પરત ફરી રહ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

જયપુરથી આ પ્રકારની દુર્ઘટનાના સમાચાર પહેલીવાર આવ્યા નથી. થોડા દિવસો પહેલા, જયપુરમાં ઓટો રિક્ષા અને બસ વચ્ચે જોરદાર ટક્કરને કારણે 2 લોકોના મોત થયા હતા. જયારે 3 અન્ય લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત આગ્રા હાઇવે પર જોવા મળ્યો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


અકસ્માતની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે તે એક ખાનગી બસ હતી, જે જયપુરથી ઉત્તર પ્રદેશ જઈ રહી હતી. રવિવારે રાત્રે, જામડોલી નજીક, બસ અચાનક સંતુલન ગુમાવી બેઠી અને એક ઓટો રિક્ષાને ટક્કર મારી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application