ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડ કાંડમાં સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. સુરત પોલીસની તપાસમાં 119 બેંક ખાતામાંથી ₹2050 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. આ કૌભાંડમાં પોલીસને અત્યાર સુધીમાં કુલ 164 બેંક ખાતાઓની જાણકારી મળી છે, જેમાંથી ₹2050 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર કેસમાં સુરત પોલીસ દ્વારા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને મુંબઈના બેંક અધિકારીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને, મુંબઈ સ્થિત RBL બેંકના અધિકારીઓને આ કેસના સંદર્ભમાં પૂછપરછ માટે સુરત બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સુરતમાં આવેલી RBL બેંકની ત્રણ બ્રાન્ચના મેનેજરની પણ ઉધના પોલીસે સઘન પૂછપરછ કરી છે.
આ કૌભાંડની ગંભીરતા જોતા, પોલીસ દ્વારા નાણાકીય વ્યવહારો અને તેમાં સંકળાયેલા લોકોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન સામે આવતા, આ સાયબર ફ્રોડનું કદ અપેક્ષા કરતાં પણ મોટું હોવાનું મનાય છે. આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની અને કેટલાક મોટા માથાઓના નામ સામે આવવાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech