અમદાવાદમાં તાજેતરમાં બનેલી એરક્રેશની દુર્ઘટના બાદ ગુજરાત સરકાર તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે સક્રિય બની છે. રાજ્ય સરકારે આ હેતુસર 32 અધિકારીઓની તાત્કાલિક નિમણૂક કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય સરકારે જુનિયર સ્કેલ વર્ગ-1 ના 16 અધિકારીઓ અને વર્ગ-2 ના 16 મામલતદાર અધિકારીઓની તાત્કાલિક નિયુક્તિના આદેશો જારી કર્યા છે. આ તમામ અધિકારીઓને રાજ્ય ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે તાત્કાલિક હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
નિયુક્ત થયેલા અધિકારીઓને રાહત કમિશનર અને નિયામકના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય દર્શાવે છે કે રાજ્ય સરકાર આવી આકસ્મિક પરિસ્થિતિઓમાં તાત્કાલિક અને અસરકારક પ્રતિભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે. આ અધિકારીઓની નિમણૂકથી રાહત અને બચાવ કામગીરીને વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનાવી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએઈમ્સ-ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ સિક્સલેન વિજયભાઈની દેન, રાજકોટ હવે મેગા સિટીની હરોળમાં
June 13, 2025 06:11 PMસલાયામાં જુદા જુદા બે પ્લોટના વેચાણ સંદર્ભે છેતરપિંડી સબબ ફરિયાદ
June 13, 2025 10:17 AMજુવાનપુરના ત્રણ શખ્સો દ્વારા વિપ્ર યુવાન સાથે છેતરપિંડી
June 13, 2025 10:14 AMકોઈ પણ કામ હાથમાં લેતા પહેલા આ મંદિરે વિજયભાઈ રૂપાણી દર્શન કરવા આવતા
June 13, 2025 09:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech