જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ ( જી જી) હોસ્પિટલ ના વહીવટી વિભાગ માં આઉટ સોર્સ એજન્સી ના બે કર્મચારી દ્વારા રૂ.૧૭ લાખ ૨૦ હજાર ની ઉચપાત કરવામાં આવી હતી, આ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે ગાંધીનગર થી આરોગ્ય વિભાગ ની ટીમ તપાસ માટે જામનગર દોડી આવી છે.અને તપાસ નો ધમધમાટ શરૂ થયો છે. જેથી જી.જી. હોસ્પિટલ વર્તુળ માં ભારે દોડધામ થઈ છે.
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના વહીવટી વિભાગ માં આઉટસોર્સ એજન્સી મારફત કામ કરતા બે કર્મચારીઓ ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મૂંગરા એ ઓક્ટોબર ૨૦૨૩ થી એપ્રિલ ૨૦૨૫ સુધી ના સમયગાળામાં જી.જી. હોસ્પિટલ ના કર્મચારીઓના વિવિધ ભથ્થા ની રકમ ના બિલ ,વાઉચર બનાવી ને તેમાં પોતાના એકાઉન્ટ નંબર લખ્યા હતા, અને કુલ રૂપિયા ૧૭ લાખ ૨૦ હજાર ની સરકારી નાણાં ની ઊચાપત કરી હતી. આ અંગે વહીવટી અધિકારી ડો. ભાવિન કણસાગરા એ બંને કર્મચારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ તમામ રકમના બિલમાં ડો. કણસાગરા ની સહીઓ છે. તેમના જણાવ્યા પ્રમાણે પોતાને અંધારામાં રાખીને અને વિશ્વાસઘાત કરી ને બિલમાં આ સહીઓ કરાવાઈ હતી. જોકે આ સમગ્ર કૌભાંડ તિજોરી કચેરીના કર્મચારીની જાગૃતતા ને કારણે પ્રકાશમાં આવ્યું છે. અન્યથા હજુ પણ આ કૌભાંડ ચાલુ રહેવા પામ્યું હોત,.
બીજી તરફ આ સમગ્ર અહેવાલ ગાંધીનગરની આરોગ્ય વિભાગ ની વડી કચેરી ને મોકલવામાં આવ્યો હતો, જ્યાં થી તપાસ ટુકડી નું આજે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આગમન થયું હતું. આ ટુકડી એ હોસ્પિટલના વહીવટી વિભાગ ના અનેક દસ્તાવેજો તપાસ્યા હતા, અને તેની નોંધ કરી હતી. આ બાબતનો તપાસ અહેવાલ ગાંધીનગરની વડી કચેરીએ મોકલવામાં આવ્યા પછી ત્યાંથી વધુ આકાર પગલાં લેવાઇ શકે છે, તેમ જાણવા મળે છે. આ કામગીરીને લઈને જી.જી. હોસ્પિટલના વર્તુળમાં ધારે દોડધામ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech