જામનગરના બેડી વિસ્તારમાં રહેતી પરણીતાએ બાળકો અંગેની પતિ સાથેની તકરારમાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત: લાલપુર તાલુકાના પડાણામાં રહેતા યુવાનનો અગમ્ય કારણસર ઝેરી દવા પી લઇ આપઘાત
જામનગર શહેર અને લાલપુર ના પડાણામાં આત્મહત્યાના બે કિસ્સા બન્યા છે. જામનગરના બેડી વિસ્તારની એક પરણીતા ને તેણીના પતિ સાથે બાળકો અંગેની તકરાર માં મનમાં લાગી આવ્યા પછી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે, જ્યારે લાલપુર તાલુકાના પડાણા ગામના એક યુવાને રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો છે.
જામનગરના બેડી માં રહેતી રૂકસાના બેન હુસેનભાઇ સોઢા નામની ૩૫ વર્ષની પરણીતા એ ગઈકાલે પોતાના ઘેર બાથરૂમમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે મૃતક રૂકસાના બેનના સંબંધી જાફરભાઈ ઓસમાણભાઈ વાઘેરે પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર રુકસાના બેન ને તેના પતિ હુસેન સોઢા સાથે બાળકોના કામકાજ બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.
આત્મહત્યાનો બીજો કિસ્સો લાલપુર તાલુકાનાં પડાણા ગામમાં બન્યો હતો. ત્યાં રહેતા ભાવેશ મનસુખભાઈ ચુડાસમા નામના ૨૩ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા મનસુખભાઈ નથુભાઈ ચુડાસમાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે જી.જી. હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationહાથકડી લગાવી, જમીન પર પટક્યો: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે ગુનેગારો જેવો વ્યવહાર
June 10, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech