કોઠારીયા ફાટક પાસે ટ્રેન અડફેટે ચડી જતા બે મિત્રોના મોત

  • June 11, 2025 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના કોઠારીયા ફાટક પાસે ટ્રેન અડફેટે બે મિત્રોના કરુણ મોત નિપજતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી. રાત્રીના આ ઘટનાની પસાર થતા રાહદારીને જાણ થતા પોલીસને જાણ કરી હતી. જેના પગલે રેલવે અને આજીડેમ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. બંનેના ટિફિન અને સ્કૂટર સ્થળ પર પડ્યા હોય તેના આધારે ઓળખ થતા યુવક લોઠડામાં રહેતા હોવાનું જાણવા મળતા બનાવની પરિવારજનોને જાણ કરી પંચરોજ કામ કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


પ્રાપ્ત વિગત મુજબ મળું સાજડીયારી અને હાલ લોઠડા ગામે રહેતા અને નજીકમાં આવેલા પૂઠાના કારખાનામાં મજૂરી કામ કરતા સુનિલ જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.25) અને તેની સાથે કામ કરતો મૂળ બિહારનો વાતની સૌરભ પવનભાઈ બિહારી (ઉ.વ.35) નામના બંને યુવક ગઈકાલે રાત્રે લોઠડા કારખાનામ નાઈટ ડ્યુટી પુરી કરી ત્રણ સાથી મિત્રો છુટા થયા હતા બાદમાં બાઇકમાં એક મિત્રને કિશાનપંપ પાસે ઉતારી પરત લોઠડા જઈ રહ્યા હતા ત્યારે કોઠારિયા ફાટક પાસે ટ્રેન અડફેટે ચડી જતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. વહેલી સવારે પસાર થતા વાહન ચાલકે બે યુવકોના મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા આજીડેમ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને યુવકની ઓળખ મેળવી મૃતદેહને પીએમ માટે ખસેડી બનાવ અંગેની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application