મિઝોરમમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં એક પથ્થરની ખાણ ધસી પડવાથી 14 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ શરૂ કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં બે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ઘણા મજૂરો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે. તેમને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જે 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે તેમાંથી 6 મૃતકો અન્ય રાજ્યના છે. જ્યારે બાકીના મૃતદેહોની ઓળખ થવાની બાકી છે. જે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમાંથી એક મિઝોરમનો અને બીજો બહારગામનો છે.
આ અકસ્માત મિઝોરમની રાજધાની આઈઝોલમાં થયો હતો. રામલ ચક્રવાતને કારણે અહીં ઘણી તબાહી જોવા મળી ચૂકી છે. સવારે લગભગ 6 વાગ્યે આઈઝોલની મેલ્થમ અને હલીમેન બોર્ડર પર પથ્થરની ખાણ તૂટી પડી હતી. ખાણ ધરાશાયી થવાને કારણે આસપાસના ઘણા મકાનો પણ ધરાશાયી થયા છે.
બે વર્ષ પહેલા પણ મિઝોરમમાં આવો જ એક અકસ્માત થયો હતો. રાજ્યના હનાથિયાલ જિલ્લામાં 14 નવેમ્બર 2022ના રોજ એક પથ્થરની ખાણ તૂટી પડી હતી. ખાણમાં કામ દરમિયાન ઘણા મોટા પથ્થરો ઉપરથી તૂટીને કામદારો પર પડ્યા, જેના કારણે 12 કામદારો કાટમાળના ઢગલા નીચે દટાયા. આસામ રાઈફલ્સ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ), સ્થાનિક પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી, ત્યારબાદ ખાણમાં દટાયેલા 11 મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech