મ્યાનમારમાં આવેલા યાગી નામના વાવાઝોડા એ તબાહી મચાવી છે. વાવાઝોડાના કારણે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન થયું હતું, જેમાં ઓછામાં ઓછા ૨૨૬ લોકોના મોત થયા છે. જયારે ૭૭ લોકો ગુમ થયાના અહેવાલ છે. સરકારી મીડિયાએ મંગળવારે આ અંગેની માહિતી આપી છે. સરકારી એજન્સી દ્રારા નોંધાયેલા મૃત્યુની સંખ્યા શુક્રવારે નોંધાયેલા પ્રારંભિક આંકડા કરતાં લગભગ સાત ગણી છે. આથી એવી આશંકા છે કે મૃત્યુઆકં વધુ વધી શકે છે.
પૂરના કારણે છ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જેના કારણે મ્યાનમારમાં સંદેશાવ્યવહાર ખોરવાયું છે. આથી જાનહાનિની સંખ્યા નક્કી કરવાનું કામ ધીમું થઈ રહ્યું છે. માનવતાવાદી સહાયતા સંકલન કેન્દ્ર અનુસાર, યાગી વાવાઝોડાની અસર વિયેતનામ, ઉત્તરી થાઇલેન્ડ અને લાઓસને થઈ હતી. વિયેતનામમાં લગભગ ૩૦૦, થાઈલેન્ડમાં ૪૨ અને લાઓસમાં ચાર લોકોના મોત થયા છે.
આ દરમિયાન ભારત પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ સતપુડા દ્રારા ૧૦ ટન રાશન, કપડાં અને દવાઓ સહિતની સહાય મ્યાનમારને મોકલવામાં આવી છે. ભારતીય વાયુસેનાના –૧૭ લશ્કરી પરિવહન વિમાને લાઓસ માટે ૧૦ ટન રાહત સામગ્રી એરલિટ કરી છે, યારે ૩૫ ટન સહાય વિયેતનામ મોકલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયામાં 6 દિવસથી ગુમ હળવદના યુવકની લાશ શંકાસ્પદ અવસ્થામાં મળી
June 09, 2025 10:03 AMવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech