ગાંધીનગર સ્થિત અક્ષરધામ ખાતે દિવાળી ના તહેવારમાં 10000 દિવડા પ્રગટાવીને દિવાળીની અલૌકિક ઉજવણી કરવામાં આવશે આ વર્ષે પણ દીપાવલીના આ પર્વે દર્શનાર્થીઓ ગુરૂવાર, તા. 31મી થી તા.8 નવેમ્બર સુધી રોજ સાંજે 6થી 7.45 દરમિયાન નયનરમ્ય તેમ જ ગ્લો ગાર્ડનથી અક્ષરધામના દર્શનનો લઈ શકશે. તથા તા 4 રોજ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામના આકર્ષણો ખુલ્લ ાં રહેશે.11 નવેમ્બરના દિવસે સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા સ્વામિનારાયણ અક્ષરધામના આ પરિસરમાં નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપ્ના કરવામાં આવશેનીલકંઠ વર્ણીની તપોમુદ્રાની સ્મૃતિ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય લાખો ભક્તો 200 વર્ષોથી આજે પણ નામજપ કરે છે. ભગવાનસ્વામિનારાયણની એ તપોમૂર્તિને અંજલિ અર્પવા માટે અને આવનારી અનેક પેઢીઓને તપ, જપ તથા સંયમની પ્રેરણા આપવા માટે સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરૂપ અમેરિકાના રોબેન્સવેલીમાં 2021માં કરાયેલ 49 ફૂટની મૂર્તિની આબેહૂબ પ્રતિષ્ઠા ગાંધીનગર અક્ષરધામ ખાતે કરવામાં આવશે.નીલકંઠ વર્ણીની પ્રતિમાની પ્રતિષઠા પ્રસંગે મહંત સ્વામી સહિત મોટી સંખ્યા સંતો ઉપસ્થિત રહેશે. ઉપરાંત જગ્યાના અભાવે આમંત્રિત મહેમાનોને જ આ પ્રસંગમાં હાજર રહેવા જણાવાયું છે. ભગવાન સ્વામિનારાયણ ઉપર 49 વર્ષ બિરાજમાન રહ્યા આ પૃથ્વી હતા. તેની સ્મૃતિમાં આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓડદર બાદ હવે ટુકડા ગોસાના દરિયાકિનારેથી મળ્યુ મારીઝુઆના હસીસનું વધુ એક પેકેટ
June 09, 2025 03:08 PMજી.આઇ.ડી.સી.માં બંધ ફેકટરીનના પટાંગણમાં લાગેલી આગને બુઝાવાઇ
June 09, 2025 03:07 PMકુતિયાણામાં ૧૧ લોકોને હડકાયુ શ્ર્વાન કરડતા સારવાર માટે પોરબંદર લવાયા
June 09, 2025 03:06 PMપરિવારનો માળો પીંખાયેલા વૃદ્ધોના રાણાખીરસરાના આશ્રમમાં સુગરીઓએ કર્યા ૩૦ જેટલા માળા!
June 09, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech