પોરબંદરમાં જલારામ જયંતિ નિમિત્તે જલારામ ભક્તે આબેહુબ જલારામ મંદિર જેવા જ અદ્ભુત મંદિરનું નિર્માણ કર્યું છે. પોરબંદરના એસ.ટી રોડ પર આવેલા નવા જલારામ મંદિરના સેવક કાંતિભાઈ સિંધવ દ્વારા દરેક ધાર્મિક તહેવાર પર અવનવું આયોજન કરી ભક્તોને મંદિર તરફ આકર્ષિત કરે છે. આગામી ૮ નવેમ્બરના દિવસે પ.પુ સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૫ મી જન્મજયંતીની પુરજોશમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.જેમાં કાંતિબાપાની આગવી સુઝબુઝ મુજબ એસ.ટી રોડ પર બનાવાયેલ જલારામ મંદિર જેવું અદભુત મંદિર નિર્માણ કરી રહ્યા છે,તા.૮ નવેમ્બરને શુક્રવારના દિવસે આ મંદિર ખુલ્લું મુકવામાં આવશે,કાંતિબાપાના જણાવ્યા મુજબ વેસ્ટ પ્લાયવુડ,થર્મોકોલ લાકડા ટુકડામાંથી આબેહૂબ મંદિર બનાવેલ જે મંદિર જલારામ જયંતિના દિવસે ભક્તોને દર્શન માટે મુકવામાં આવશે, આયોજન કરતી વખતે કાંતિબાપાને પ્રોત્સાહન મળી રહે તેથી ટ્રસ્ટીઓ અને યુવા ટીમે પણ સાથ સહકાર આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech