ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઈલેક્ટ્રીક ચીજવસ્તુઓ અને ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પાનવાડી પાસે કોળી જ્ઞાતિની વાડી સામે કાળા ડેલામાં આવેલા ધાર્મિકભાઈ રવજીભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં ગત રાત્રિના સમયે આગ ભભૂકી ઉઠી હતી. જે આગની લપેટમાં ઘરની અંદર રહેલ ફ્રીઝ, ટીવી, હોમ થિયેટર, મિક્ચર સહિતનો ઈલેક્ટ્રીક તેમજ ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જે આગની ઘટના અંગે મકાન માલિક અને સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી એક ગાડી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે બનાવમાં સદનસીબે કોઈ જાનહાની કે ઇજા પહોંચી ન હતી. પરંતુ આગને કારણે ઘર વખારી સમાન સળગી જતા મોટી નુકશાની પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech