જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના તરસાઈ ગામમાં રહેતા એક આધેડે પોતાની માનસિક બીમારીના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે જામજોધપુર પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં નવાપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ ઉર્ફે જગો કાનજીભાઈ કુડેચા નામના ૫૦ વર્ષના આધેડે તરસાઈ ગામના રેલ્વે સ્ટેશન નજીક રેલવેના પાટા ઉપર ટ્રેન હેઠળ પડતું મૂકી દઇ આત્મહત્યા કરી લીધી છે.
ધસમસતી ટ્રેનના એન્જિન હેઠળ કપાઈ જવાથી તેનું બનાવ ના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતક ના સંબંધી સંજય ભરતભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક કેજે છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. જે બીમારીથી તંગ આવી જઇ આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશુભાંશુ શુક્લા અવકાશનો તાગ મેળવવા કાલે ઉડાન ભરશે:એક્સિઓમ મિશનનું કાઉન્ટ ડાઉન શરુ
June 09, 2025 10:21 AMયાત્રાધામ દ્વારકાના ગોમતી નદીમાં ઘાટ પર સાવચેતીપુર્વક સ્નાન કરવા તંત્રની અપીલ
June 09, 2025 10:20 AMદ્વારકામાં શીરદર્દસમો ટ્રાફિક સમસ્યા ઉકેલવા આયોજન
June 09, 2025 10:16 AMલોસ એન્જલસમાં હિંસાની આગ વધુ ભડકી, શા માટે વિરોધ?
June 09, 2025 10:10 AMદ્વારકા પીજીવીસીએલના બે ડીવીઝનમાં કાયમી સ્ટાફની નિમણૂંક કરવા માંગ
June 09, 2025 10:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech