જિલ્લા કલેકટર દ્વારા ટ્રાફિક સમસ્યા ઉકેલવા અગ્રણીઓ સાથે બેઠક
દેવભૂમિમાં દ્વારકાધીશજી જગત મંદિર આવેલું હોવાથી યાત્રાધામમાં દર્શનના મહાત્મય સાથે આવતા યાત્રાળુઓ સમયાંતરે ટ્રાફિકના ગંભીર પ્રશ્નથી પરેશાન થતા હોય, કલેકટર આર. એમ. તન્ના દ્વારા આ બાબતે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
દ્વારકા તથા આસપાસના સ્થળો પર ટ્રાફિકના ગંભીર પ્રશ્નો રોજ થતા યાત્રિકો તથા સ્થાનિકો પણ પરેશાન થઈ જાય છે. નગરપાલિકા બિલ્ડીંગથી મંદિર જતા પાર્કિંગ વાળા રસ્તા પર બન્ને બાજુ રાત્રે નજીકના રેસ્ટોરન્ટ વાળા દ્વારા રસ્તા પર ખુરશીઓ નાખી ભોજન કરાવાયા છે.
બાંગડ ધર્મશાળા વાળા ચોકમાં બન્ને તરફ રેંકડી ખાણીપાણી વાળા ત્યાં ખાવા આવનારાના બાઈકના ઢગલા ગમે ત્યાં રીક્ષા વાળાના પાર્કિંગ, પોલીસ સ્ટેશન નજીક જી.ઇ.બી. કચેરી પાસે બન્ને તરફ મહિનાઓ ક્યાંક વર્ષથી ફોર વ્હિલરો રાખી દેવાઈ છે જે ટ્રાફિક જામમાં નડે છે તો ગુરુ પ્રેરણા હોટલ પાસેના ચોકમાં રોજ રાત્રે અમદાવાદ વડોદરા જતી ખાનગી ટ્રાવેલ્સની બસોનો જમાવડો થતા રાત્રે ત્યાથી ફોર વ્હિલરને કાઢતા ખૂબ મોટો સમય લાગી જાય છે. અને રોજ રાત્રે ટ્રાફિક જામની સ્થિતિ થાય છે.
દરમ્યાન 56 સિડીવાળા રસ્તા પર રીક્ષા તથા ટુ વ્હિલરોને નીકળવાની સાથે ભક્તોની ભીડ પણ નીકળે છે!! આવીજ રીતે ગોમતી ઘાટ રાજપૂત સમાજ પાસે પાર્કિંગ હોવા છતાં 30 રૂપિયા બચાવવા ગમે ત્યાં ફોર વ્હિલરો રાખી લોકો જતા રોજ સમસ્યા થાય છે તો મંદિર જતા રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરાતા વાહનો રોજ ટ્રાફિક સમસ્યા ઉભી કરે છે દિવસોથી બંધ પડેલા મેઈન રોડની બન્ને તરફના વાહનો પણ ટ્રાફિક જામમાં મોટી સમસ્યારૂપ છે.
આ ઉપરાંત જ્યાં ભાવિકોનો સૌથી વધુ ઘસારો રહે છે. તેવા સુદર્શન સેતુ, બેટ દ્વારકા કે જ્યાં પ્રવાસીઓ મન પડે તેમ રસ્તા પર વાહનો રાખી ફોટો શૂટ વીડિયો રિલ બનાવવા લાગી જતા હોય બેટ દ્વારકામાં સુદર્શન સેતુ પરથી દાખલ થતા રોજ ટ્રાફિક જામ થતી હોય, શિવરાજપુર બીચમાં રોજ ફોર વ્હિલરનો ટ્રાફિક જામ થતો હોય નાગેશ્વરમાં પણ વ્યવસ્થિત પાર્કિંગ નહિ ગને ત્યારે પાર્કિંગની પહોંચ વાળા આવી જાય!!આવી સ્થિતિમાં દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, દ્વારકા, નાગેશ્વર, શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ ગોમતી ઘાટ વગેરે સ્થળે થતી ટ્રાફિકની ગંભીર સમસ્યાના નિવારણ માટે દ્વારકા જિલ્લા કલેકટર આર.એમ.તન્ના દ્વારા ડીવાયએસપી ટ્રાફિક પીઆઈ દ્વારકા પ્રાંત તથા આ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે અગ્રણીઓની ખાસ બેઠકનું આયોજન કર્યું છે.