જામનગરનાં દિગજામ સર્કલ પાસેથી પસાર થતી એક રિક્ષામાંથી 30 દારૂની બોટલ સાથે રિક્ષા ચાલકની અટકાયત પોલીસે કરી હતી જયારે અન્ય ચાર શખ્સ ની સંડોવણી ખુલવા પામી હતી. જેને પોલીસે ફરારી જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.
જામનગર એલસીબી શાખાના કિશોર પરમાર તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે દિગ્જામ સર્કલ પાસેથી પસાર થતી રિક્ષાને આંતરી હતી અને તલાશી લેતા તેમાંથી રૂપિયા 12000 ની કિંમતની 30 નંગ દાની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે દારૂ અને રીક્ષા નં. જીજે24ડબલ્યુ-0514 કબજે કરી રીક્ષા ચાલક આબીદ અકબરભાઈ સંઘાણી (રે. બેડી-ગરીબનગર)ની અટકાયત કરી હતી. આરોપીની પૂછપરછ માં દાનાં આ કેસમાં જામનગરના સુનિલ માણેક, સાગર હમીર માણેક, બાવરીવાસના ગોપાલ અને મુળ દ્વારકાનો હાલ જામનગર રહેતો ભુદો નામના શખ્સોની સંડોવણી ખુલવા પામી હતી.પોલીસે ચારેયને ફરારી જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાનગી બસ પલટી જવાના અકસ્માતમાં ૯૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો
June 09, 2025 02:33 PMરાણાવાવની સરકારી હોસ્પિટલે ડાયાલીસીસની કામગીરી અંતે થઇ શરૂ
June 09, 2025 02:32 PMજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech