કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેની અધ્યક્ષતા હેઠળ અમદાવાદમાં એનેક્સી હાઉસ ખાતે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ યોજનાઓના ગુજરાતમાં અમલીકરણ સંદર્ભે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિકારીઓ દ્વારા પ્રી-સ્કોલરશીપ, પોસ્ટ સ્કોલરશીપ, મહિલા વિકાસ, વંચિતોના વિકાસ અંગેના મુદ્દાઓ તેમજ સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ અંગે પૂર્ણ થયેલ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.
આ બેઠકમાં મંત્રી રામદાસ આઠવલે દ્વારા પૂર્ણ થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ વિકાસલક્ષી વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે તેમણે જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ વિકાસને વેગવંતુ કરવા માટે અધિકારીઓનો સંપૂર્ણ સહકાર મળ્યો છે, અનખ આવનાર સમયમાં પણ મળતો રહેશે, એવો આશાવાદ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ સમીક્ષા બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યા
June 09, 2025 11:04 AMજેતપુરના એકમાત્ર બગીચામાં ઝૂલા પરથી પટકાતા તરૂણનું મૃત્યુ
June 09, 2025 11:03 AMઆઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો
June 09, 2025 10:59 AMસલાયામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ પર હેલ્થ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ
June 09, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech