ટ્રાફિક નિયમનનું પાલન કરનારા નાગરિકોને નવરાત્રી મહોત્સવના વિના મૂલ્યે પાસનું વિતરણ કરાયું
જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગેના જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ટ્રાફિક નિયમનનું પાલન કરનારા નાગરિકોનું સન્માન કરવાના ભાગરૂપે નવરાત્રી મહોત્સવ ના વિના મૂલ્યે પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તારીખ ૨૬.૯.૨૪ ના રોજ જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ પો.ઈ. આર. એલ.કંડોરીયા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા તેમજ હંસ ટેક્નોલોજી ઇન્ટરનેશનલના હાર્દિકભાઈ ઘેડિયા, કેયુરભાઈ ધોકિયા, રેડિયો જોકી મિલનભાઈ પાણખાણીયા અને તેમના સહયોગીઓ દ્વારા જામનગર શહેરના વિવિધ માર્ગો પર ટ્રાફિકના નિયમોનુ પાલન કરતા વાહનચાલકોને થનગનાટ વેલકમ નવરાત્રી મહોત્સવના પાસનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. તેમજ આવતીકાલે પણ ટ્રાફિકના નિયમોનુ પાલન કરતા વાહનચાલકોને નવરાત્રિના પાસનુ વિતરણ કરવામા આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાફેલ મુદ્દે ભારત - ફ્રાંસ વચ્ચે અણબનાવ? એસ જયશંકર આવતા સપ્તાહે પેરિસ જશે
June 09, 2025 02:40 PMબીસીજી દ્વારા 41 ધારાશાસ્ત્રીઓ માટે રૂ. 14. 40 લાખની માંદગી સહાય મંજુર
June 09, 2025 02:37 PMખાનગી બસ પલટી જવાના અકસ્માતમાં ૯૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો
June 09, 2025 02:33 PMરાણાવાવની સરકારી હોસ્પિટલે ડાયાલીસીસની કામગીરી અંતે થઇ શરૂ
June 09, 2025 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech