નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ યુવા મોરચાની ટીમમાં પોરબંદરને સ્થાન મળ્યું છે.
વિચારપ્રેરિત યુવાશક્તિ માટે રાષ્ટ્રીય લેવલે કાર્યરત એક અદ્વિતીય સંસ્થા નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ યુવા મોરચાની ટીમ જાહેર કરવામાં આવી છે.આ સંસ્થાની સ્થાપના તા.૨૨.૬.૨૦૦૪ ના રોજ શ્રી રવિ ચાણક્યજી દ્વારા કરવામાં આવી હતી.આજે આ સંસ્થા સમગ્ર ભારતમાં વિવિધ મંચો અને મોરચાઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરના ક્ષેત્રોમાં યુવા,યુવતિ શાખા, એજ્યુકેશન, ડોક્ટર, આઈ.ટી, અલ્પસંખ્યક વગેરે ક્ષેત્રોમાં અવિરત કાર્યરત છે.
ગુજરાત રાજ્યમાં યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સજાગતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોના પ્રસાર માટે તાજેતરમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાની નવી ટીમ ઘોષિત કરવામાં આવી છે.આ ટીમનું ઘોષણપત્ર રવિ ચાણક્યજી (રાષ્ટ્રીય સંયોજક), દિલીપસિંહજી (રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી),ચેહરભાઈ દેસાઈ (ગુજરાત અધ્યક્ષ),દેવેન્દ્રસિંહ જાડેજા (સંગઠન મહામંત્રી), સંજયભાઈ ત્રિવેદી (રાષ્ટ્રીય યુવા સચિવ), ભાવેશભાઈ વાઘમસી (ગુજરાત યુવા અધ્યક્ષ) તથા રવિગિરિ એમ. ગોસ્વામી (ગુજરાત યુવા સંગઠન મહામંત્રી) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
જેમાં સંજયભાઇ સાણથરા પોરબંદરને નરેન્દ્ર મોદી વિચાર મંચ યુવા મોરચા ગુજરાત પ્રદેશમાં મંત્રીના પદ પર નિમણુંક કરવામાં આવી છે.તેમની આ નિમણુંકને સ્થાનિક આગેવાનો, સમાજસેવી સંસ્થાઓ અને યુવાવર્ગ દ્વારા હર્ષભેર આવકારવામાં આવી રહી છે.તેમને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.આ નવી ટીમ રાષ્ટ્રહિત અને યુવાવિકાસ માટે નવો મોખરાનો પડકાર સ્વીકારી આગળ વધશે.જે યુવાન મિત્રો સંગઠન સાથે જોડાવા માંગતા હોય તેઓ મો.નં.૬૩૫૬૩૬૪૫૫૪ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech