ખંભાળિયા - જામનગર હાઈવે પર આવેલી એક ખાનગી કંપનીમાં થોડા દિવસ પૂર્વે એક પેટા કોન્ટ્રાક્ટર હેઠળ ડ્રાઈવર તરીકેની નોકરી પર રહેલા રાજકોટ જિલ્લાના જામ કંડોરણા તાલુકાના રહીશ એવા સુખદેવસિંહ અનોપસિંહ ગોહિલ તેમના કામ દરમિયાન પ્રેસરના કારણે ઢાંકણું ખોલી જતા આ ઢાંકણું તેમને લાગી જવાના કારણે જમીન નીચે પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ વિજયસિંહ અનોપસિંહ ગોહિલ (ઉ.વ. 34) એ અહીંની પોલીસને કરી છે.
દ્વારકા જિલ્લામાં દરિયાકાંઠે માછીમારી નિયમોનું ઉલ્લંઘન કરતા શખ્સો સામે કાર્યવાહી
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં આવેલા દરિયાકાંઠે સબીર કાસમ પટેલિયા (ઉ.વ. 41) એ તેની જુગનું નામની માછીમારી બોટમાં ટોકન લીધા વગર માછીમારી કરી, શરતોનો ભંગ કર્યો હતો આ ઉપરાંત અન્ય આસામીઓ અકબર હુસેન ઈસબાની (ઉ.વ. 53), જુસબ સાલેમામદ ઇસબાણી (ઉ.વ. 42) અને સિરાજ હારૂન થૈયમ (ઉ.વ. 28) નામના શખ્સોએ પણ મંજૂરી વગર દરિયામાં માછીમારી કરતા દ્વારકા પોલીસે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા અન્વયે કાર્યવાહી કરી હતી. બેટ દ્વારકા પોલીસે બાલાપર દરિયાકાંઠેથી પરવાનગી વગર માછીમારી કરતા સુલતાન હારૂન સેતા (ઉ.વ. 36) સામે ગુનો નોંધ્યો હતો
ખંભાળિયામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
ખંભાળિયામાં હજામ પાડો, હુસેનની મસ્જિદ સામેથી પોલીસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા વિપુલ કિશોર ભાઈ પોપટ, સબીર અબુભાઈ પરિયાણી અને સાજીદ ગની મેમણને ઝડપી લઇ, રૂપિયા 4,720 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech