જામનગર જિલ્લાની સામાન્ય અને પેટા સહિત કુલ ૩ર૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ છે. જેમાં સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સમરસની કવાયત વચ્ચે જામનગર જિલ્લાની સામાન્ય, વિભાજન અને મઘ્યસ્ત્ર ૨૬૬ ગ્રામ પંચાયતના સરપંચ માટે ૭૩૭ ફોર્મ ભરાયા છે, જ્યારે આ ગ્રામ પંચાયતોની વોર્ડની સભ્ય બેઠક માટે ૩૨૮૬ ઉમેદવારોએ ૩૩૦૪ નામાંકન પત્ર રજૂ કર્યા છે. આજે ફોર્મની ચકાસણી થશે. કાલે ફોર્મ પરત ખેંચવાનો એક માત્ર દિવસ છે, ત્યારે મંગળવારે રાત્રિના ગ્રામ પંચાયતો બિનહરીફ કરવા માટે રાજકીય પક્ષો દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ સાથે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હોય, રાજકારણ ખૂબ જ ગરમાયું છે.
રાજ્યની સાથે જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની મુદ્દત પૂર્ણ થતાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં ર૬૬ સામાન્ય, વિભાજન અને મઘ્યસ્ત્ર ગ્રામ પંચાયત અને ૬૦ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે સંગઠ્ઠન અને તાલુકાના આગેવાનોને મેદાનમાં ઉતર્યા હતા. આમ છતાં કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ પૂર્ણ થયા બાદ સામાન્ય વિભાજન અને મઘ્યસ્ત્ર ર૬૬ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે ૮૩૭ ફોર્મ ભરાયા હતા. જ્યારે વોર્ડના સભ્યો માટે ૩૨૮૬ ઉમેદવારે ૩૩૦૪ ફોર્મ ભર્યા છે. બીજી બાજુ ૭ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧૯ અને સભ્યો બેઠક માટે રપ ફોર્મ ભરાયા છે. આજે ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
જ્યારે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આથી ગ્રામ પંચાયતો સમરસ કરવા માટે મંગળવારની રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણની રહેશે. કારણ કે આજે ફોર્મની ચકાસણીના અંતે કેટલા ફોર્મ રદ્દ થાય છે અને આવતીકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે કેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચાય છે તેના આધારે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. જિલ્લામાં સામાન્ય અને જે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી છે તેમાં તે સમરસ થાય તે માટે રાજકીય પક્ષો દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે.
આટલું જ નહીં કાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય, ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે રાજકીય પક્ષો દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિસાથે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલી ગ્રામ પંચાયતો સમરસ થશે તે ચિત્ર કાલે બપોર સુધીમાં સ્પષ્ટ થઇ જશે.
રાજકીય પક્ષોએ તાલુકા સંગઠ્ઠનના આગેવાનોને મેદાનમાં ઉતાર્યા
જામનગર જિલ્લામાં ૩ર૭ ગ્રામ પંચાયતોમાંથી મોટાભાગની પંચાયતો સમરસ એટલે કે બિનહરીફ થાય તે માટે રાજકીય પક્ષોએ તાલુકા અને સંગઠ્ઠનના આગેવાનોને મેદાનમાં ઉતાર્યા છે.
આ માટે પક્ષના જિલ્લા કાર્યાલયોમાં ખાસ મિટીંગોનો દૌર પણ હાથ ધરવામાં આવ્યો હતો અને સમરસ ગ્રામ પંચાયતો માટેના લક્ષ્યાંકો પણ આપવામાં આવ્યા હતા. રાજકીય પક્ષોની આ કવાયત વચ્ચે પણ જામનગર જિલ્લામાં સરપંચ પદ માટે ૭૩૭ અને વોર્ડના સભ્યોની બેઠકો માટે ૩૩૦૪ ફોર્મ ભરાતા સમરસની કવાયતને ખાસ ફળશ્રુતિ મળી નથી તે સ્થિતિ પ્રર્વતી રહી છે.
૬૦ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં કુલ ૪૪ ઉમેદવારીપત્ર રજૂ થયા
જામનગર ગ્રામ્યની ૧પ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે ચાર અને સભ્ય બેઠક માટે ૧૬ કાલાવડ તાલુકાની ૧ર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે અને સભ્ય બેઠક માટે ર, લાલપુર તાલુકાની ૧૧ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧ અને સભ્ય બેઠક માટે ર, જામજોધપુર તાલુકાની ૧૧ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે ૪ અને સભ્ય બેઠક માટે ૧, ધ્રોલ તાલુકાની પ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧ અને સભ્ય બેઠક માટે ર, જોડિયા તાલુકાની ૬ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે ૪ અને સભ્ય બેઠક માટે ર ઉમેદવારી પત્ર રજૂ થયા છે.