સિહોર તાલુકાના છેવાડાનાભાંખલ ગામે રહેતા એક વૃધ્ધનો પગ તળાવના પાળે થી લપસી જતાં તળાવમાં ડૂબી જવાથી મોત નીપજતા તેમનાં પરિવારજનોમાં તેમજ નાના એવા ભાંખલ ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
સિહોર તાલુકાના ભાંખલ ગામે રહેતા મોહનભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (ઉં,વ, ૬૫) પશુપાલન કરે છે. તે પોતાના પશુઓને ગામના તળાવના વિસ્તારમાં ચરાવવા માટે નીકળ્યા હતા. જે પછી તેમના પશુઓ તળાવના પાણીમાં ઉતર્યા હતા. તળાવના પાણીમાંથી પશુઓને બહાર કાઢતા સમયે મોહનભાઇનો પગ લપસી ગયો હતો અને તેઓ તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તેઓનું મોત નીપજયું હતું. આ બનાવની જાણ થતા જ ગામના સરપંચ સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં ઝંપલાવ્યુ હતુ. જે પછી સ્થાનિક તરવૈયાઓએ મોહનભાઈનો મૃતદેહ બહાર કાઢયો હતો. આ બનાવ અંગે સિહોરપોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉપલેટાના ચીખલિયા ગામે પિતા–પુત્ર ઉપર ત્રણ શખસોનો હત્પમલો
June 10, 2025 11:09 AMહળવદના સરા નજીકથી બમ્પ આવતા બાઇકમાંથી માતા–પુત્ર પટકાયા: છ વર્ષના પુત્રનું મોત
June 10, 2025 11:08 AMભેસાણ: કોર્ટ મેરેજના મનદુ:ખમાં યુવતીના પરિવારનો યુવક પર જીવલણ હત્પમલો
June 10, 2025 11:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech