અમદાવાદમાં રખિયાલના ગરીબનગર પાસે લુખ્ખાઓ ખુલ્લી તલવારો અને છરી સાથે વિસ્તાર બાનમાં લીધો હતો. રખિયાલ નૂર હોટેલથી શરૂ થયેલી માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી. રખિયાલમાં આતંક મચાવનાર ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયાર વડે આતંક મચાવ્યો હતો. પોલીસની ગાડી પહોંચતા લુખ્ખાઓએ પોલીસકર્મીને છરી દેખાડી ગાડીમાં બેસી જવા ઈશારો કરી જબરજસ્તી ગાડીમાં બેસાડ્યા હતા. એટલું જ નહિ પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી હતી. આથી પોલીસને જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
પોલીસે દંડાનો ઉપયોગ કેમ ન કર્યો?
થોડા દિવસ પહેલાં ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પોલીસકર્મીઓને જે દંડો આપવામાં આવ્યો છે તેનો ગુનેગાર સામે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવો જોઈએ. પરંતુ, હાલ જે વીડિયો વાઈરલ થયો છે તેમાં તો લુખ્ખાઓ સામે પોલીસ જ વામણી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech