શકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા પાંચ ગરીબ ઝુપડાંવાળાને વિનામૂલ્યે પાકા મકાન બનાવી સાંસદ, શહેરના રાજકીય, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પરિવારોને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નોબલ ગ્રુપના કે.ડી. પંડા, આલ્ફા સ્કૂલ જી.પી. કાઠી, મેંદરડા આશ્રમના સાધ્વી ક્રિષ્નાદાસજી, શાક્રી રવિભાઈ દવે, મોટી મોણપરીના નાગભાઇ વાળાના હસ્તે વિધિવત મંત્રોચાર દ્રારા ઉદ્દઘાટન કરી જરિયાતમદં પાંચ પરિવારોને ગૃહપ્રવેશ કરાવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમુભાઈ પાનસુરીયા, માકડભાઈ જોષી, યશવંતભાઈ પાઠક, આંનદભાઈ ભટ્ટ, સમીરભાઈ પારેખ, મુનાભાઇ બોઘરા, જીતેન્દ્રભાઈ પંડીયા, ધવલભાઈ પટેલીયા, ડો. હેમલસિંહ ઠાકુર, રસિકભાઈ પોપટ, વિપુલભાઈ આડતીયા તથા ઓન્લી ઇન્ડિયન હાજર રહેલા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવા ઇન્ચાર્જ પ્રમુખ હીનાબેન જાની, ટ્રસ્ટી કિશોરભાઈ ખંભોળિયા, પરેશભાઈ પરમાર, મિત્તલભાઈ મજીઠીયા, અનિલભાઈ સૂબા, નિશીથભાઈ રાવલ, વિપુલભાઈ દવે, હરેશભાઇ પુરોહિત, યોગેશભાઈ જોશી, કિશોરભાઈ જાની, અજયભાઇ પુરોહિત, દેવ ભાનુશાલી, નિલેશભાઈ પુરોહિત, ઘનશ્યામભાઈ પરમાર, હિતેષભાઇ કોટક, જયભાઈ ઝાંઝમેરીયા તથા શકિત ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો નયનાબેન પારેખ, શિલ્પાબેન ગોસ્વામી, નિર્મલબેન શાહુ, લતાબેન ભાનુશાળી દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી.સંસ્થાના મેને. ટ્રસ્ટી આશિષભાઇ રાવલ તથા કો.મેને. ટ્રસ્ટી રાજુભાઈ વ્યાસ દ્રારા જણાવ્યું હતું કે માણસ સવારે ભૂખ્યો ઉઠે છે પણ રાત્રે ભૂખ્યો સૂતો નથી, પણ કોઈને આશરો એટલે કે ઘરનું ઘર આપવું એ ખુબજ મહત્વનું છે એ ખરા દિલની સેવા છે. જેને પૂર્ણ થતા ખરો આનદં મળી રહ્યો છે આ પ્રકારનું કાર્ય સંસ્થા અવિરત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech