ખગોળશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્ર્રીય ટીમે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (જેડબલ્યૂએસટી)ની મદદથી સૂર્યના કદના એકઝોપ્લેનેટની શોધ કરી છે. તે 'સુપર યુપિટર' જેવું છે. તેનો વર્ગ પણ સુપર છે. તેનો વ્યાસ ગુ જેટલો છે, પરંતુ તેનું દળ ગુ કરતાં છ ગણું છે. તેનું વાતાવરણ ગુની જેમ હાઇડ્રોજનથી ભરપૂર છે. તેને પોતાના તારાની પરિક્રમા પૂરી કરવામાં ૨૫૦ વર્ષથી વધુ સમય લાગે છે.
સ્પેસ.કોમના રિપોર્ટ અનુસાર, ટીમનું આ સંશોધન નેચર જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ટીમમાં ભારતીય વૈજ્ઞાનિક ડો.પ્રશાંત પાઠકનો સમાવેશ થાય છે. તેઓ આઈઆઈટી કાનપુરમાં પ્રોફેસર છે. એકસોપ્લેનેટનું નામ 'ઈપીએસ ઈન્ડ એબી' રાખવામાં આવ્યું છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્રારા સીધો ફોટો લેવામાં આવેલો તે પ્રથમ એકસોપ્લેનેટ છે. અત્યાર સુધી તેનો ફોટો પૃથ્વી પરના કોઈપણ ટેલિસ્કોપથી લેવામાં આવ્યો ન હતો. નવો ગ્રહ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્રારા અવલોકન કરાયેલ કોઈપણ ગેસ ગ્રહ કરતાં ઠંડો છે.શોધાયેલ એકસોપ્લેનેટ તેના તારાથી સૂર્યથી પૃથ્વીના અંતર કરતાં ૧૫ ગણું વધુ દૂર છે. તે ઓરેન્જ ડવાર્ફ સ્ટાર 'એપ્સીલોન ઈન્ડી એ'ની આસપાસ પરિક્રમા કરે છે. સંશોધન મુજબ, આ સિસ્ટમનો આ એકમાત્ર ગ્રહ હોઈ શકે છે. એપ્સીલોન ઈન્ડી એ પૃથ્વીથી ૧૧.૭ પ્રકાશવર્ષ દૂર છે. તે લગભગ ૩.૫ અબજ વર્ષ જૂનું છે. તેનો ગ્રહ લગભગ ૧૫ એયૂ (ખગોળશાક્રીય એકમો)ના અંતરે ભ્રમણ કરતો દેખાય છે
મિડ–ઈન્ફ્રારેડ ઈન્સ્ટ્રુમેન્ટની મદદથી લીધી તસવીર
વૈજ્ઞાનિકોએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ પર લગાવેલા મિડ–ઈન્ફ્રારેડ ઈન્સ્ટ્રુમેન્ટ (એમઆઈઆરઆઈ)ની મદદથી આ ગ્રહની તસ્વીર લીધી હતી. એમઆઈઆરઆઈ પાસે કોરોનગ્રાફ નામનું માસ્ક છે, જે તારાઓમાંથી આવતા પ્રકાશને રોકી શકે છે. આની મદદથી ટેલિસ્કોપ પાસે હાજર વસ્તુઓનો અભ્યાસ કરી શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓડદર બાદ હવે ટુકડા ગોસાના દરિયાકિનારેથી મળ્યુ મારીઝુઆના હસીસનું વધુ એક પેકેટ
June 09, 2025 03:08 PMજી.આઇ.ડી.સી.માં બંધ ફેકટરીનના પટાંગણમાં લાગેલી આગને બુઝાવાઇ
June 09, 2025 03:07 PMકુતિયાણામાં ૧૧ લોકોને હડકાયુ શ્ર્વાન કરડતા સારવાર માટે પોરબંદર લવાયા
June 09, 2025 03:06 PMપરિવારનો માળો પીંખાયેલા વૃદ્ધોના રાણાખીરસરાના આશ્રમમાં સુગરીઓએ કર્યા ૩૦ જેટલા માળા!
June 09, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech