શહેરના કોઠારીયા રોડ પર આવેલા સંતોષ ઘૂઘરાની રેકડીએ ચટણી બાબતે ગ્રાહકો વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં એક ગ્રાહકે તેના પિતા તો સામાપક્ષે અન્ય ગ્રાહકના મિત્રો અહીં ધસી આવ્યા હતા. આ મારામારીમાં પિતા–પુત્ર સહિત ત્રણે મળી યુવાનને છાતીમાં તથા ગળા પર છરીના ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કર્યેા હતો તેમજ તેના મિત્રને કાનનાભાગે છરી ઝીંકી દીધી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સામાપક્ષે છ શખસોએ મળી યુવાનને મારમારી તેનો પગ ભાંગી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ભગવતીપરા શેરી નંબર ૧૦ માં રહેતા અબ્દુલ કાદિર કાસમભાઈ સિદાદ (ઉ.વ ૨૮) અને તેના મિત્ર યુસુફ હાનભાઇ ગોગદા પર અલ્પેશ ઠાકર અને તેના બંને પુત્ર ઉદય અને દેવે મળી છરી વડે હત્પમલો કર્યેા હતો જેમાં યુસુફને ગળા અને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કર્યેા હતો. તેમજ અબ્દુલ કાદીરને કાનનાભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અબ્દુલ કાદિર આ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના ૦૫:૦૦ વાગ્યા આસપાસ તે તથા તેનું મિત્ર યુસુફ બંને જંગલેશ્વરમાં અન્ય મિત્ર નવાઝની પાનની દુકાને ગયા હતા યાં વધુ એક મિત્ર નિદાલ પણ હાજર હોય દરમ્યાન નિદાલને ફોન આવ્યો હતો કે તેના મિત્ર નદીમ લીંબડીયાને કોઠારીયા રોડ પર સંતોષ ઘુઘરા નામની રેકડીએ માથાકૂટ થઈ છે જેથી આ તમામ મિત્રો તેમને સમજાવવા માટે કોઠારીયા રોડ પર અહીં ઘુઘરાની રેકડીએ ગયા હતા. અહીં નદીમ અને અરમાન હાજર હોય નદીમને ઝઘડા બાબતે પૂછતા આ સમયે ઘૂઘરા વાળાએ કહ્યું હતું કે, જેમની સાથે તેમને માથાકૂટ થઈ છે તે ઉદય અને દેવ અને તેના પિતા અલ્પેશભાઈ અહીં ઉભા છે તમે વાત કરી લો. જેથી યુવાન અને તેના મિત્રો અહીં વાત કરવા જતા આ ત્રણેય શખસોએ ઉશ્કેરાઇ છરી વડે હત્પમલો કરી દીધો હતો. જેમાં ફરિયાદી અબ્દુલ કાદિરને કાનમાં છરી લાગી જતા ૩૫ થી ૪૦ ટકા આવ્યા હતા તેમજ તેના મિત્ર યુસુફને આ શખસોએ પેટમાં તથા ગળામાં અને છાતીના ઘા મારી દેતા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે યુવાની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે પિતા–પુત્રો સામે હત્યાની પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
સામાપક્ષે કોઠારીયા મેઇન રોડ પર વિવેકાનદં નગર શેરી નંબર ૪ માં રહેતા અલ્પેશ કિશોરભાઈ ઠાકર(ઉ.વ ૪૦) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાલો તથા તેની સાથેના ચારથી પાંચ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. અલ્પેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના દીકરા દેવ અને ઉદય કોઠારીયા રોડ પર સંતોષ ઘુઘરાવાળાની રેકડીએ ઘુઘરા ખાવા ગયા હતા ત્યારે ચટણી બાબતે તેની સાથે કેટલાક શખસોએ ઝઘડો કર્યેા હતો જેથી તેઓ અહીં જતા અહીં ઉભેલા બાલો તથા ચારથી પાંચ અજાણ્યા શખસોએ બેફામ ગાળો આપી તમને છરીના ઘા મારી દેવા છે તેમ કહી છરી કાઢી હતી અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. બાદમાં ફરિયાદી પર પાઇપ વડે હત્પમલો કર્યેા હતો તેમજ પ્લાસ્ટિકનું કેરેટનો ઘા કર્યેા હતો. હત્પમલામાં ઘવાયેલા ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તેમને પગમાં ફ્રેકચર થઈ ગયું હોવાનું માલુમ પડું હતું. જે અંગે અલ્પેશભાઈની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોઢવાડાની વી.જી. કારીયા હાઇસ્કૂલ બોર્ડના પરિણામમાં રહી અગ્રેસર
June 10, 2025 02:31 PMપોરબંદર અડવાણા રોડને વહેલી તકે પહોળો કરવો જરી બન્યો
June 10, 2025 02:29 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા યોજાયો ભવ્ય આર્ટ શો
June 10, 2025 02:28 PM‘આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર’ અભિયાનના બીજા ફેઝનો થયો શુભારંભ
June 10, 2025 02:27 PMયુવકની માતાને આપઘાતની ફરજ પાડવાના ગુનાના પાંચ આરોપીની જામીન અરજી રદ
June 10, 2025 02:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech