ભાવનગર રેલ્વે મંડળ સિંહો અને અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ગાડીઓના સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૭૦ સિંહોના જીવ બચાવાયા છે.
આ અંગે ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું કે ૦૩ ઓક્ટોબર, ગુરુવાર ના રોજ લગભગ ૧૮ કલાકે, લોકો પાયલટ બલીરામ કુમાર અને સહાયક લોકો પાયલટ ચિંતન કુમાર કિ.મી. સં. ૦૯/૦૨ વચ્ચે જૂનાગઢ-બિલખા સેક્શન ની વચ્ચે જ્યારે સિંહને રેલવે પાટા ઓળગતા જોવામાં આવ્યો, ત્યારે પેસેન્જર ગાડી નંબર ૦૯૫૪૦ જૂનાગઢ-અમરેલીને ઈમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી હતી. લોકો પાયલટ દ્વારા ગાડી મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ ફોરેસ્ટ ગાર્ડ આવ્યા અને સિંહને પાટા પરથી ખસેડાયા બાદ લોકો પાયલટ દ્વારા ગાડીને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી. માહિતી મળતાં એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ સહિત કાર્યક્રમ યોજાયા
June 09, 2025 10:31 AMરાજકોટ : આયાત ડ્યુટી ઘટતા વેપારીઓ ચિંતિત, ગ્રાહકો ખુશખુશાલ
June 09, 2025 10:30 AMશુભાંશુ શુક્લા અવકાશનો તાગ મેળવવા કાલે ઉડાન ભરશે:એક્સિઓમ મિશનનું કાઉન્ટ ડાઉન શરુ
June 09, 2025 10:21 AMયાત્રાધામ દ્વારકાના ગોમતી નદીમાં ઘાટ પર સાવચેતીપુર્વક સ્નાન કરવા તંત્રની અપીલ
June 09, 2025 10:20 AMદ્વારકામાં શીરદર્દસમો ટ્રાફિક સમસ્યા ઉકેલવા આયોજન
June 09, 2025 10:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech