શહેરમાં રહેતા ચાલીસેક જેટલા લોકો એક સપ્તાહ પૂર્વે ટ્રાવેલ્સ બસમાં ધાર્મિક પ્રવાસે ગયા હતા. જે બસમાં સવાર એક દંપતિ અંબાજી ખાતેથી પ્રવાસ રદ કરી ભાવનગર પરત આવી ગયું હતું.અને ફરી ભાવનગરથી અમજેર ગયા હતા જ્યાં હોટલમાં આગની જ્વાળામાં આવી જતાં દંપતિ ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં આગળ પરિણીતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
શહેરના જમનાકુંડ વિસ્તારમાં રહેતા ધવલભાઈ બારૈયા અને તેમના પત્નિ અલ્પાબેન પણ હતા અને ગુરુવારે વહેલી સવારે અજમેર ખાતે પહોંચ્યા બાદ ડિગ્ગી બજારમાં આવેલી સ્થાનિક નાઝ નામની હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો અને બે જ કલાકના ગાળામાં હોટલના એ.સી.માં સોટ સર્કિટ થતાં ભયંકર આગ ફાટી નિકળતા ધવલભાઈ અને અલ્પાબેન ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આગળ અલ્પાબેનની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.હતું
ભાવનગરથી રહેતા ચાલીસેક જેટલા શ્રધ્ધાળુઓ ગત શુક્રવારે પંદર દિવસના ધાર્મિક પ્રવાસમાં નિકળ્યા હતા. અને યાત્રાળુઓની બસ ભાવનગરથી બહુચરાજી અને ત્યાંથી અંબાજી પહોંચી હતી અને ત્યાંથી શ્રધ્ધાળુઓ અજમેર જવા રવાના થયા હતા.
દરમ્યાન ધવલભાઈ અને અલ્પાબેને અચાનક અંબાજીથી ભાવનગર આવી ગયા હતા. જ્યારે અન્ય લોકો અજમેર તરફ આગળ વધ્યા હતા. દરમ્યાન ભાવનગર પરત આવેલા ધવલભાઈ અને અલ્પાબેન ફરીથી ખાનગી બસમાં ભાવનગરથી અજમેર ગયા હતા અને વહેલી સવારે પાંચેક વાગ્યે નાઝ હોટલમાં રોકાણ કર્યું હતું. અને રૂમ રાખ્યાના બે કલાકમાં જ આગની જ્વાળામાં આવી જતાં બન્ને દાઝી જતાં સારવાર સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આગળ અલ્પાબેનની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech