ગુજરાત બોર્ડના ધો.10 અને 12 વિદ્યાર્થીઓ માટે મોટા અને ખુશીના સમાચાર શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યા છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે પરિણામ વહેલાં જાહેર થયાં હતાં, આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, તેથી પરિણામ વહેલાં જાહેર થઈ શકે છે. મેં મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનાં પરિણામો જાહેર થાય એવી શક્યતા છે.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે બોર્ડના સ્ટાફ દ્વારા મહેનત કરીને ધાર્યા કરતાં વહેલાં પરિણામ આપવામાં આવ્યાં હતાં. આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, જેથી વહેલાં પરિણામ આવશે.
સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી ચાલતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચના બીજા અઠવાડિયામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલાં જાહેર થવાની શક્યતા છે. પરિણામ વહેલા જાહેર થાય તો ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓએ જલદી પ્રવેશ મેળવી શકે. બોર્ડ દ્વારા આયોજનપૂર્વક જ પરીક્ષા વહેલી લેવામાં આવી હતી.
કેજરીવાલ-અખિલેશને ભગવાન સદબુદ્ધિ આપે- પાનસેરિયા
અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ એક્સ પર ગુજરાતના બોર્ડનાં પરિણામને લઈને જે ટિપ્પણી કરી હતી એ મામલે પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના હજારો શિક્ષકો દિવસ-રાત મહેનત કરે છે, જેના કારણે ગુજરાતનું પરિણામ સારું આવી રહ્યું છે. અખિલેશ યાદવ અને કેજરીવાલ ખોટું બોલીને પરિણામ અંગે વાહિયાત વાતો કરે છે. વિદ્યાર્થીઓનું માનસિક બળ તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ખોટી વાતોથી ગુજરાતની રાજકીય બદનામી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ટિપ્પણીથી જ્ઞાન, ગુરુ અને વિદ્યાનું અપમાન થયું છે. ભગવાન બંનેને સદબુદ્ધિ આપે.
2024માં 9મેના ધોરણ 12નું અને 11 મેના ધોરણ 10નું પરિણામ આવ્યું હતું
વર્ષ 2024ની વાત કરીએ તો ગુજરાત બોર્ડના ધોરણ 12નું સાયન્સ-કોમર્સનું પરિણામ 9 મેના રોજ જાહેર કરાયું હતું. જ્યારે ધોરણ 10નું 11 મેના રોજ જાહેર કરાયું હતું. આ વર્ષે પણ મેના પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર થવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આયાત ડ્યુટી ઘટતા વેપારીઓ ચિંતિત, ગ્રાહકો ખુશખુશાલ
June 09, 2025 10:30 AMશુભાંશુ શુક્લા અવકાશનો તાગ મેળવવા કાલે ઉડાન ભરશે:એક્સિઓમ મિશનનું કાઉન્ટ ડાઉન શરુ
June 09, 2025 10:21 AMયાત્રાધામ દ્વારકાના ગોમતી નદીમાં ઘાટ પર સાવચેતીપુર્વક સ્નાન કરવા તંત્રની અપીલ
June 09, 2025 10:20 AMદ્વારકામાં શીરદર્દસમો ટ્રાફિક સમસ્યા ઉકેલવા આયોજન
June 09, 2025 10:16 AMલોસ એન્જલસમાં હિંસાની આગ વધુ ભડકી, શા માટે વિરોધ?
June 09, 2025 10:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech