રાજકોટ લોકસભા બેઠકથી પરશોત્તમ રૂપાલા આવતી કાલે નામાંકન પત્ર ભરવાના છે. તે પહેલા ક્ષત્રિય આંદોલન સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ રહેલી માહિતી પ્રમાણે ક્ષત્રિય આંદોલન પૂર્ણ થવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે.
છેલ્લા 1.30 કલાકથી મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે બેઠક ચાલી રહી છે. બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને ગૃહરાજ્યમંત્રી હાજર છે. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરતથી બેઠક માટે ગાંધીનગર પહોંચ્યા હતા.
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની મળી બેઠક
બીજી બાજુ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠક ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે સંકલન સમિતિની બેઠકમાં મોટા ભાગના આગેવાનો હાજર રહ્યા હતા. મહત્વનું છે કે છેલા 2 કલાકથી સંકલન સમિતિની બેઠક ચાલી રહી છે.
બંને બેઠકમાં ક્ષત્રિય આંદોલનને લઈને મહત્વની ચર્ચાઓ ચાલી રહ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. મોડી રાત સુધીમાં આંદોલન અંગે કોઈ રસ્તો નીકળે તેવી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે.
રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપે ઉમેદવાર બનાવેલા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે આપેલા નિવેદનના કારણે મોટો વિવાદ ઉભો થયો છે. ત્યારે હવે આ વિવાદના કારણે ક્ષત્રિય સમાજ આંદોલન કરવા ઉપર ઉતરી આવ્યા છે. તેને ડેમેજ કંટ્રોલ કરવા માટે તખ્તો તૈયાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ગઈકાલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ અન્ય રાજ્યમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા હતા. જેમાં વક્તાઓએ એક સૂરમાં ભાજપને લલકાર કરીને તા.19 સુધીમાં રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech