મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માધવપુરના મેળામાં પહોંચતા પહેલા મોકરસાગર વેટલેન્ડની મુલાકાત લીધી હતી અને ૨૦૦ કરોડના ખર્ચે વિકસી રહેલા આ સ્થળના પ્લાન ને નિહાળીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે સાંજે તા.૬ એપ્રિલના માધવપુર મેળાના ઉદ્ઘાટન પૂર્વે મોકર સાગર સાઈટની મુલાકાત લીધી હતીરાજ્ય સરકાર દ્વારા પક્ષીઓની વસાહત એવા મોકર સાગર સાઈટ પર પ્રવાસન વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે .અંદાજીત ૨૦૦ કરોડના આ પ્રોજેક્ટનું ઈ- ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું હતું .સોમનાથ થી દ્વારકા વાયા માધવપુર પોરબંદર દરિયાઈ પટ્ટી પર આવેલી આ સૌથી મોટી પક્ષી વસાહત છે. જે સૌરાષ્ટ્રની ટુરિઝમ સર્કિટની કડી બનશે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોકર સાગર સાઈટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત કરી અધિકારીઓને જરી માર્ગદર્શન આપ્યું હતું.તેમની સાથે વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech