UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું 16 જૂનના રોજ યોજાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા પછી ઉમેદવારો તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે જે આજે એટલે કે 1લી જુલાઈના રોજ આ રાહનો અંત આવ્યો છે. ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર જઈને ઓનલાઈન પરિણામ જોઈ શકે છે. પરિણામ જાહેર થવાની સાથે સાથે કટઓફ પણ યુપીએસસી દ્વારા બહાર પાડવામાં આવશે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસિસ (CSE) અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) સંયુક્ત પ્રારંભિક પરીક્ષા 2024 16 જૂને સમગ્ર દેશમાં બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થઈ ત્યારથી ઉમેદવારો તેમના પરિણામો જાહેર થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેથી તેઓ તેની તપાસ કરી શકે અને તેમની આગળની તૈયારીઓ કરી શકે.
આવા ઉમેદવારોને જણાવી દઈએ કે UPSC દ્વારા આજે એટલે કે 1લી જુલાઈ 2024ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. પરિણામ UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર ઓનલાઈન મોડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
પીડીએફ ફોર્મેટમાં પરિણામો થયા જાહેર
સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ UPSC દ્વારા PDF ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ પીડીએફમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોના રોલ નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માત્ર એવા ઉમેદવારોને જ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણવામાં આવશે જે પ્રિલિમ પરીક્ષામાં સફળ થશે.
આ સ્ટેપ પ્રમાણે તમારા પરિણામો ચકાસી શકશો
- UPSC CSE 2024 પ્રિલિમ પરિણામ તપાસવા માટે, તમારે પહેલા સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જવું પડશે.
- વેબસાઈટના હોમ પેજ પર તમારે What's New વિભાગમાં પરિણામ સંબંધિત PDF પર ક્લિક કરવાનું રહેશે.
- હવે આ પછી સ્ક્રીન પર PDF ખુલશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો.
- હવે તમે પીડીએફમાં તમારો રોલ નંબર ચેક કરીને તમારું પરિણામ જાણી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓડદર બાદ હવે ટુકડા ગોસાના દરિયાકિનારેથી મળ્યુ મારીઝુઆના હસીસનું વધુ એક પેકેટ
June 09, 2025 03:08 PMજી.આઇ.ડી.સી.માં બંધ ફેકટરીનના પટાંગણમાં લાગેલી આગને બુઝાવાઇ
June 09, 2025 03:07 PMકુતિયાણામાં ૧૧ લોકોને હડકાયુ શ્ર્વાન કરડતા સારવાર માટે પોરબંદર લવાયા
June 09, 2025 03:06 PMપરિવારનો માળો પીંખાયેલા વૃદ્ધોના રાણાખીરસરાના આશ્રમમાં સુગરીઓએ કર્યા ૩૦ જેટલા માળા!
June 09, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech