સિહોર તાલુકાના જાંબાળા ગામે બે જૂથ વચ્ચે સર્જાયેલી મારામારીમાં પાંચ થી છ વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘરની બાજુમાંથી હોન વગાડીને ગાડી ચલાવવા જેવી બાબતને લઈને સર્જાયેલી મારામારી અંગે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સિહોરના જાંબાળા ગામે સર્જાયેલી મારામારી અંગે પ્રથમ પક્ષે મુનાભાઇ રવજીભાઇ બારૈયા (ઉ.વ.૩ર)એ નયન ભગવાન, ભાવેશ ભરત, વિજય વેલજી, અજય ભરત, જીતુ ઓધા, રાજુ વેલજી, દિપક બાલા અને નાશા ભીખા (રહે. તમામ જાંબાળા) સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે તેણે આજ ગામની કોમલ નામની યુવતિ સાથે ૧ર વર્ષ પુર્વે પ્રેમ લગ્ન કર્યા હોય જેની દાઝ રાખી ઉપરોકત તમામ શખ્સોએ ધોકા અને પાઇપ જેવા હથિયારો સાથે ઘસી ગાળો બોલી ઉશ્કેરાઇ જઇ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
જયારે બીજા પક્ષે નયનભાઇ ભગવાનભાઇ સોલંકી (ઉ.વ.રપ રહે. જાંબાળા)એ મુના રવજીભાઇ બારૈયા, અનીલ રવજીભાઇ બારૈયા, બાલુ રવજીભાઇ બારૈયા, ચંદુ રવજીભાઇ બારૈયા અને વર્ષાબેન બાલાભાઇ બારૈયા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મુના રવજીભાઇ બારૈયાએ ૧ર વર્ષ પુર્વે કોમલ નામની યુવતિ સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ તેની સાથે બોલ્યા વ્યવહાર ન હોય દરમિયાન મુના બારૈયા અવાર-નવાર બાઇક લઇ પોતાના ઘર પાસેથી નિકળી મોટેથી હોમ વગાડતો હોય જે અંગે ઠપકો આપતા ઉપરોકત તમામ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી ધોકા અને લાકડી વડે હુમલો કરી પોતાને તેમજ પરિવારના સભ્યોને ઇજાઓ પહોંચાડી હતી. જાંબાળા ગામે સર્જાયેલી મારમારી અંગે બન્ને પક્ષે નોંધાવેલી ફરિયાદના આધારે સિહોર પોલીસે જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech