જામનગરમાં કોરોનાની ગતિ ધીમી પડી: વધુ ૪ પોઝીટીવ

  • June 11, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યાર સુધીમાં ૩૨ દર્દીઓ સાજા થયા: કુલ ૮૪ કેસ નોંધાયા જેમાં ૫૨ હોમ આઇસોલેશનમાં: પટેલકોલોની, ઇન્દ્રદીપ સોસાયટી, રઘુવીર પાર્ક તથા શ્રીનિવાસ કોલોનીમાં થઇ કુલ ૪ મહીલાને પોઝીટીવ

જામનગર શહેરમાં કોરોનાની ગતિ ગઇકાલે ધીમી પડી હતી, પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે, ૪ કેસ પોઝીટીવ નોંધાયા હતાં, અત્યાર સુધીમાં જામનગરમાં ૮૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬ જેટલા કેસ નોંધાયા છે, શહેરમાં ૫૨ દર્દીઓ હાલમાં એકટીવ છે, સારી વાત એ છે કે એક પણ દર્દીને જી.જી.હોસ્૫િટલમાં દાખલ કરવામાં આવ્યા નથી, ગઇકાલે ૪ મહીલાઓને પોઝીટીવ કોરોના લાગુ પડયો હતો. 

કોર્પોરેશનના જણાવ્યા અનુસાર જે ચાર મહીલાઓ હોમ આઇસોલેશનમાં છે તેમાં ઇન્દ્રદીપ સોસાયટીમાં રહેતી ૨૩ વર્ષ, રઘુવીર પાર્ક રણજીતસાગર રોડ પર રહેતી ૧૭ વર્ષની યુવતિ, પટેલકોલોનીમાં રહેતી ૬૨ વર્ષની વૃઘ્ધા અને શ્રીનિવાસ કોલોનીમાં રહેતી ૫૮ વર્ષની વૃઘ્ધાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, ગઇકાલે વધુ ૭ દર્દીઓ સાજા થયા હતાં અને અત્યાર સુધીમાં ૩૨ દર્દીઓ સાજા થયાનું કોર્પોરેશનની યાદીમાં જણાવાયું છે. 

ભલે ગઇકાલે માત્ર ચાર જ કેસ આવ્યા પરંતુ આ અઠવાડીયામાં કોરોના વધુ વકર્યો છે અને ડોકટરોના જણાવ્યા મુજબ ભીડભાડવાળા વિસ્તારમાં લોકોએ માસ્ક પહેરીને જવા જણાવ્યું છે, એટલું જ નહીં શરદી, ઉધરસ થાય તો તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા પણ કહેવાયું છે. 
મહામારી રિટર્ન થઇ છે, રાજકોટમાં તો એક મોત પણ નોંધાઇ ચૂકયું છે, જો કે હજૂ સુધી આ બીમારીની લઇને લોકોમાં જાગૃતિ બાબતે થોડી ઉદાસીનતા દેખાઇ છે, તંત્રએ પણ લોકોને સાવધ રહેવા માટે થોડી ઝૂબેશ ચલાવવાની જ‚રીયાત દેખાઇ છે, નહીં તો જો કેસ કાબુ બહાર જશે તો પછી સ્થિતિ કાબુમાં રહેશે નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News