આરબ જમાતખાના વિસ્તારમાં પાણીનો ટાંકો છલકાવાના પ્રશ્ને પાડોશીઓ વચ્ચે તકરાર

  • June 03, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક પાડોશીએ ઉશ્કેરાઈ જઈ પાડોશી દંપતીને ધાક ધમકી આપી મકાનમાં સોડા બાટલીના ઘા કરીને નુકસાની પહોંચાડયાની પોલીસ ફરિયાદ

જામનગરમાં આરબ જમાતખાનના વિસ્તારમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે પાણીનો ટાંકો છલકાવાના પ્રશ્ને તકરાર થઈ હતી, અને એક દંપતિ ઉપર તેના પાડોશમાં રહેતા ચાર શખ્સોએ ગાળો ભાંડી મકાનમાં સોડા બાટલીના અને પથ્થર ના ઘા કરીને નુકસાની પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં આરબ જમાતખાના વિસ્તારમાં રહેતી મુમતાજ બેન મોસીનભાઈ  નામની ૨૦ વર્ષની સંધિ યુવતીએ પોતાને તેમજ પોતાના પતિ મોહસીનભાઈ ને ગાળો ભાંડી ધાક ધમકી આપવા અંગે, તેમ જ પોતાના મકાનમાં સોડા બાટલી અને પથ્થર ના ઘા કરીને નુકસાની પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા ગુલામ અબ્દુલભાઈ દલ, તોહિલ ગુલમામદભાઈ અને સોયબ હુસેનભાઇ હિંગરોજા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીનો પાણીનો ટાંકો છલકાયો હતો, જે પાણી ફરીયાદીના ઘરમાં આવતું હોવાથી અને તેઓનો સામાન પલળી જતો હોવાથી પાડોશીઓને કહેવા જતાં તેઓ ઉસકેરાયા હતા, અને ધાક ધમકી આપી મકાનમાં તોડફોડ કરી નાખી હતી, જેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ચારેય સામે ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News