ગઈકાલના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસના ગોઝારા અકસ્માતમાં ચાર વ્યક્તિને કચડી નાખનાર બસના ડ્રાઈવરનું લાયસન્સ ફેબ્રુઆરીમાં જ પૂરું થઇ ગયાનું પોલીસ અને આરટીઓની સંયુક્ત તપાસમાં સામે આવતા પોલીસ બસ ચાલકનું લાયસન્સ આરટીઓને મોકલી સસ્પેન્ડ કરવા માટેની ભલામણ કરશે જેને લઈને આરટીઓ દ્વારા ઓછામાં ઓછા 6 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ આરટીઓના સૂત્રોએ જણાવ્યું હતું.
બસમાં કોઈ ક્ષતિ ન હોવાનું સામે આવ્યું હતું
પ્રાપ્ત વિગત મુજબ ગતરોજ સવારે ઇન્દિરા સર્કલ પાસે સીટી બસના ચાલકે એક્સિલેટર વધુ દબાવી દેતા આગળ જતા વાહનો અને ચાલકો ઉપર બસ ચડી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલા સહીત ચાર વ્યક્તિના મોત થયા હતા જયારે ચાર જેટલા લોકોને ઇજા થઇ હતી. ઘટનાના પગલે લોકોના પોલીસ કમિશનર, મનપાના અધિકારીઓ, આરટીઓની ટિમ સહિતના દોડી ગયા હતા. બસનું ફિટનેસ સહિતની વિગતો મેળવતા બસમાં કોઈ ક્ષતિ ન હોવાનું સામે આવ્યું હતું.
ડ્રાઈવર દોઢ મહિનાથી લાયસન્સ વગર જ બસ હંકારતો
પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરથી એક્સિલેટર વધુ દબાવાય જતા બસ બેકાબુ બની હોવાનું સામે આવ્યું હતું . તેમજ ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો કે કેમ તેના માટે બ્લડ સેમ્પલ લઇ એફએસએલમાં મોકલવામાં આવ્યાછે જેનો રિપોર્ટ આવ્યા બાદ સત્ય સામે આવશે. આ ઉપરાંત પોલીસે ડ્રાઈવરનું લાયસન્સ કબ્જે કરી આરટીઓને મોકલ્યું હતું. જેમાં લાયસન્સ ફેબ્રુઆરીમાં એક્સપાયર થઇ ગયાનું ખુલ્યું હતું. બસ ચાલક દોઢ મહિનાથી લાયસન્સ વગર જ બસ હંકારતો હતો. આથી પોલીસ આરટીઓને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે મોકલશે જેમાં 6 મહિના સુધી લાયસન્સ સસ્પેંડ કરવાની ફેટલ અકસ્માતના કિસ્સામાં સત્તા હોવાનું આરટીઓ કે.એમ.ખપેડએ જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, લાયસન્સ રદ માટે જો કોર્ટ કાર્યવાહી કરે અને ઓર્ડર કરવામાં આવે તો કાયમી માટે લાયસન્સ રદ કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech