સમય-મર્યાદા તા.૧૭ માર્ચ સુધી લંબાવાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે વર્ષ-૨૦૨૪ના વિવિધ કેટેગરીમાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઈ છે. જેમાં નિયત કરવામાં આવેલ સમયમર્યાદા વધારો કરવામાં આવ્યો છે. હવે દિવ્યાંગ પારિતોષિકની માટેની અરજી તા.૧૭/૦૩/૨૦૨૫ સુધી કરી શકાશે.
દિવ્યાંગ પારિતોષિકની માટે ૪૦ ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ,સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ,૪૦ ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતા દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને ૪૦ ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસર્સ અરજી કરી શકશે.
આ અરજી મોકલવાની સમયમર્યાદા વધારીને તા.૧૭/૦૩/૨૦૨૫ સુધી નિયત કરવામાં આવી છે. જેથી અરજદારો ઉક્ત જણાવ્યા મુજબની કેટેગરીમાં અરજી મોકલાવી શકશે. અને દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર કચેરીમાંથી વિનામૂલ્યે તા.૧૭/૦૩/૨૦૨૫ સુધીમાં મેળવી શકશે.
ઉમેદવારોએ ભરેલા અરજી પત્રકો સાથે શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, દિવ્યાંગતા માટેનું માન્ય પ્રમાણપત્ર, પોસ્ટકાર્ડ સાઈઝ ફોટોગ્રાફ, પોલિસ વેરીફિકેશન પ્રમાણપત્ર તથા અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, સહિત જરૂરી સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં જિલ્લા રોજગાર કચેરીને તા.૧૭/૦૩/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્રારા મળી જાય તે રીતે મોકલી શકશે. તેમજ અધુરી વિગત વાળી નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહી. અને વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક સાધવા જિલ્લા રોજગાર વિનિમય કચેરીની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech