વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે ખાનગી કંપની દ્રારા સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવેલ હોય, જે કંપની દ્રારા હેવી વિજ લાઈન પાથરવા માટે કોન્ટ્રાકટર મારફતે કામગીરી કરવામાં આવી રહી હોય, જેમાં જેતપરડા ગામના પાટળાના માર્ગ તેમજ મિનડોળીયુ સીમમાં ૫૦થી વધુ ખેડૂતો ખેતરના શેઢે કોન્ટ્રાકટર દ્રારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર મનમાની પુર્વક વિજપોલ ઉભા કરવાની કામગીરી સામે આજરોજ સ્થાનિક ગ્રામજનો તેમજ આગેવાનો દ્રારા વાંકાનેર મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક આ અયોગ્ય કામગીરી અટકાવી વિજ લાઇન માટે ખેડૂતોને નુકસાન ન થાય તે રીતે વૈકલ્પિક રસ્તો આપવામાં માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરી જલદ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.આ સમયે ખેડૂતો દ્રારા ખેડૂતોને નુકસાન થાય તે રીતે નિયમો વિદ્ધ ખાનગી સોલાર પ્લાન્ટની વિજ લાઇન પાથરવાની કામગીરી માટે જવાબદાર ઓપેરા ઈન્ફ્રાસ્ટ્રકચર એલ.એલ.પી., કનૈયા એન્ટ્રરપ્રાઈઝ, કિલનમેકસ પાવરીંગ સોલાર કંપની તેમજ જવાબદાર કોન્ટ્રાકટર તથા પેટા કોન્ટ્રાકટર સામે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech