પદ્મ ભૂષણથી સન્માનિત અને તેમના સુરીલા અવાજ માટે 'બિહાર કોકિલા' તરીકે ઓળખાતા શારદા સિંહાનું આજે નિધન થયું છે. તેમણે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. AIIMSએ શારદા સિંહાના નિધનની પુષ્ટિ કરી છે. તેણીને 11 દિવસ એમ્સમાં દાખલ કરવામાં આવી હતી.
તે છેલ્લા છ વર્ષથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહી હતી. તાજેતરમાં, જ્યારે તેમની તબિયત બગડતી હતી, ત્યારે તેમને 26 ઓક્ટોબરના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શારદા સિન્હાને સોમવાર રાતથી દિલ્હીના એઈમ્સમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમના પુત્ર અંશુમન સિંહાએ બપોરે જ આ અંગે માહિતી આપી હતી.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ સોશિયલ સાઈટ X પર પોસ્ટ કરીને કહ્યું કે, હું પ્રખ્યાત લોક ગાયિકા શારદા સિંહા જીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમના દ્વારા ગાયેલા મૈથિલી અને ભોજપુરી લોકગીતો છેલ્લા ઘણા દાયકાઓથી ખૂબ જ લોકપ્રિય છે. આસ્થાના મહાન તહેવાર છઠ સાથે સંબંધિત તેમના મધુર ગીતોની ગુંજ પણ કાયમ રહેશે. તેમનું અવસાન સંગીત જગતને ન પુરી શકાય તેવી ખોટ છે. મારા વિચારો શોકની આ ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુવાનનું લીવરની બીમારીથી મોત નિપજ્યાનું પોલીસમાં થયુ જાહેર
June 10, 2025 02:33 PM‘બાપુ’ના ગામ પોરબંદરમાં ‘બા’ રહ્યા !
June 10, 2025 02:32 PMમોઢવાડાની વી.જી. કારીયા હાઇસ્કૂલ બોર્ડના પરિણામમાં રહી અગ્રેસર
June 10, 2025 02:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech