૯૦ દિવસ ની અંદર નોટિસનો જવાબ ન આપનાર અનેક વેપારીઓને મિલકત જીની જીએસટી દ્રારા નોટિસ ફટકારવામાં આવતા વેપારી વર્ગમાં ભારે ઊહાપોહ મચી જવા પામ્યો છે. જીએસટી ના સૂત્રોએ જણાવ્યું હતું કે જીએસટી ની અમલવારી દરમિયાન વેપારીઓ દ્રારા બોગસ બીલીંગ કૌભાંડ આચારવામાં આવ્યું છે, આ માટે વેપારીઓના ડેટાની ચકાસણી કરવામાં આવ્યા બાદ સમન્સ આપવામાં આવ્યા હતા. તેમ છતાં આ સમન્સનો જવાબ નહીં આપતા જીએસટી વિભાગ દ્રારા કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વેપારીઓની મિલકત ટાંચમાં લેવા માટેની નોટિસ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.જીએસટીની એનફોર્સમેન્ટ ટીમે આઇઆઇટી હૈદરાબાદ પાસેથી ડેટા મેળવ્યો હતો અને જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના ૧૦૦૦ જેટલા વેપારીઓને વર્ષ ૨૦૧૭ –૧૮ ના ખરીદ વેચાણના વ્યવહારો ના આધારે બાકીનું લેણું વસૂલવા માટે વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
તો બીજી તરફ વેપારીઓએ જણાવ્યું હતું કે સુકા ની પાછળ લીલું બળે તેવો ઘાટ અમારા વેપારીઓ માટે સર્જાયો છે જીએસટી વિભાગ દ્રારા પૂર્વ ચકાસણી વગર નોટિસ ફટકારવામાં આવતા વેપારીઓની મુસીબતમાં વધારો થયો છે જે તે સમયે માલ ખરીદી કરનાર વેપારી ઉપર બમણો ભાર આવી ગયો છે. વેચનાર વેપારીઓ નો નંબર રદ થઈ ગયેલો હોય અને નંબર બધં કરવામાં આવેલો હોય તેવા કિસ્સાઓમાં ખરીદનાર વેપારીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે.વેપારીઓએ એક તરફ એવી રજૂઆત કરી હતી કે આ માટેના પુરાવા અમે રજૂ કર્યા હોવા છતાં પણ તત્રં આ વાતને ધ્યાનમાં લેતું નથી, ખરીદનાર વેપારી પાસે બિલ વજન ,કાંટા ,ચિઠ્ઠી, પેમેન્ટ ચૂકવ્યા ના પુરાવા આપ્યા હોવા છતાં ખરીદનાર વેપારીની ખરીદી માન્ય રહેતી નથી ત્યારે ડિપાર્ટમેન્ટ દ્રારા એક તરફી આદેશ કરીને લાખો પિયાનું માંગણું કાઢવામાં આવ્યું છે.
નોટિસ સામે વેપારીઓને ૧૦% રકમ ભરીને અપીલમાં જવું પડે છે હજુ સુધી વેટ વખતની અપીલ ની પ્રક્રિયા પણ પૂરી નથી થઈ ત્યારે જીએસટી ની નવી અપીલનો ભરાવો થઈ ગયો છે. જોકે આ બાબતે જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નિયમિત કાર્યવાહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયામાં 6 દિવસથી ગુમ હળવદના યુવકની લાશ શંકાસ્પદ અવસ્થામાં મળી
June 09, 2025 10:03 AMવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech