સમસ્ત વારોતરીયા પરિવારના કૂળદેવી શ્રી ગેલ અંબે માં ની અસીમ કૃપાથી વારોતરીયા પરિવારના સૂરાપૂરા શ્રી કારૂ ડાડા વારોતરીયાની રણ ખાંભી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી સોમ-મંગળ એમ બે દિવસનું ભવ્ય આયોજન વાળોત્રા ખાતે કરવામાં આવેલ છે.યજ્ઞ આચાર્ય તરીકે પર શાસ્ત્રી રાજ્યગુરુ કેતનભાઈ સતાપરવાળા બિરાજશે.
વાળોત્રા ગામ તા.રાણાવાવ જિ.પોરબંદર મીણસાર નદી તટે સમસ્ત વારોતરીયા પરિવારના શ્રી સૂરાપૂરા કારૂડાડા વારોતરીયા રણ ખાંભી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૧-૧૧-૨૪ સોમવાર તથા ૧૨-૧૧-૨૪ એમ બે દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
કારતક સુદ દશમ સોમવારના રોજ મહા પ્રસાદ,સમસ્ત વાળોત્રા ગ્રામજનો, મહેમાનોની ઉપસ્થિતિમાં રાત્રે ૭ થી ૧૦ દરમ્યાન રણ ખાંભી ધાન્યાવીસ વસ, રાત્રી જાગરણ,રાસ મંડળી રાત્રે ૧૦-૩૦ થી સવારે ૦૭-૦૦ વાગ્યા સુધી.
કારતક સુદ અગિયારસ મંગળવાર યજ્ઞ પ્રારંભ સવારે ૮-૦૦ વાગ્યે ગણપતિ પૂજન,સર્વ દેવ પૂજન, મૂર્તિ સામૈયા,મંડપ પ્રવેશ સવારે ૧૧-૦૦ વાગ્યે મૂર્તિ પૂજા, મહા અભિષેક, મૂર્તિ પ્રવેશ બપોરે ૦૧-૧૫ થી ૦૨-૧૫ દરમ્યાન પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, મહાઆરતી, પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
સૂરાપૂરા શ્રી કારૂ ડાડા રણ ખાંભી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા સમસ્ત વારોતરીયા પરિવારના હોદ્દેદારો સભ્યો જય ગેલ અંબે માં ના નાદ સાથે જહેમત ઊઠાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech