આજીવન કેદની સજા યથાવત રાખવાનો હુકમ
જામજોધપુરમાં સને ૧૯૯૦ના ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં ખંભાળીયા સેશન્સ કોર્ટ પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ, પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને ફટકારેલી જન્મટીપની સજાને પડકારતી સંજીવ ભટ્ટની અરજીને ફગાવીને દઇ ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે નીચલી કોર્ટના હુકમને સ્પષ્ટ બહાલી આપી હતી. હાઇકોર્ટે સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને ફટકારેલી સજા યથાર્થ ગણાવી હતી અને નીચલી કોર્ટના સજાના આ હુકમમાં કોઇપણ પ્રકારની દરમ્યાનગીરી કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.
આ કેસની વિગત મુજબ વર્ષ ૧૯૯૦માં જામનગરના જામજોધપુરમાં અડવાણીની એકતા યાત્રા વખતે ભારત બંધનું એલાન અપાયું ત્યારે કોમી તોફાનો ના થાય તેની દહેશતમાં જામનગર જિલ્લાના તત્કાલીન એએસપી સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ ૧૩૩ વ્યક્તિઓની ટાડા હેઠળ ધરપકડ કરી કેટલાકને બેરહેમીથી માર માર્યો હતો.
જેમાં પ્રભુદાસ માધવભાઇ વૈષ્ણાની નામના એક વેપારીનું કસ્ટોડિયલ ટોર્ચર અને મારના કારણે ગત તા. ૧૮/૧૧/૧૯૯૦ ના રોજ મોત નિપજ્યું હતું. જે અંગે તેના ભાઇએ સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ સાથે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ખંભાળીયા સેશન્સ કોર્ટે ર૯ વર્ષ મહત્વના ચૂકાદો આપી પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને જન્મટીપની સજા ફટકારી હતી, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા, કેશુભા દોલુભા જાડેજા અને પીએસઆઇ શૈલેષ પંડ્યા અને દિપકકુમાર ભગવાનદાસ શાહને બે-બે વર્ષની સજા કરવામાં આવી હતી.
સેશન્સ કોર્ટના આ ચૂકાદા સામે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમિનલ અપીલ કરી સજાના હુકમને પડકાર્યો હતો. જો કે હાઇકોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને તેમની અપીલો ફગાવી દઇ નીચલી કોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને ફટકારેલી સજાનો હુકમ કાયમ રાખ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech