રાજકોટ મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શાખાધિકારીઓની રીવ્યુ મીટિંગમાં તાજેતરમાં સાંઢીયા પુલના પ્રોજેક્ટનો કમિશનરાએ રિવ્યુ કર્યો હતોબાને આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે ઝડપ વધારવા સંબંધિત અધિકારીને આદેશ કર્યો હતો.
વિશેષમાં મ્યુનિ.ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર હયાત સાંઢિયા પૂલને ડીસમેન્ટલ કરી નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કામ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે એજન્સી ચેતન કન્સ્ટ્રકશનને તા.૧૪-૩-૨૦૨૪થી સોંપવામાં આવેલ છે. આ કામગીરીની સમયમર્યાદા બે વર્ષ છે. આ કામે અંદાજિત એક વર્ષમાં ૪૫ ટકા ફીઝીકલ પ્રોગ્રેસ તથા ૩૬ ટકા ફાઇનાન્સિયલ પ્રોગ્રેસ થયેલ છે.જામનગર રોડ ખાતે બની રહેલ નવા ફ્લાયઓવર બ્રિજના કામમાં કુલ ૨૦ પૈકી ૧૮ ફૂટીંગનું આર.સી.સી. કામ, કુલ-૪૦ પૈકી ૩૦ પિયરનું આર.સી.સી. કામ, કુલ-૨૦ પૈકી ૧૨ પિયર કેપ તથા કુલ-૧૨૦ પૈકી ૧૦૧ ગડરનું આર.સી.સી.કામ પૂર્ણ થયેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શાખાધિકારીશ્રીઓની રીવ્યુ મીટિંગમાં આ કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીને સુચના આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech