ઈઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂત પર હવાઈ હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને મારી નાખ્યો. આ પછી તેનો પિતરાઈ ભાઈ હાશિમ સફીદીનને હિઝબુલ્લાનો ચીફ જાહેર કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં નસરાલ્લાહના મોત પર ગુસ્સો જોવા મળી રહ્યો છે. અહીં પ્રદર્શન દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીએ કહ્યું કે તમે એક હિઝબુલ્લાહને માર્યો છે, હવે દરેક ઘરમાંથી હિઝબુલ્લા નીકળશે.
જમ્મુ-કાશ્મીરમાં લોકોએ કર્યું પ્રદર્શન
રિપોર્ટ અનુસાર હસન નસરાલ્લાહના મોત બાદ જમ્મુ-કાશ્મીરના બડગામની ગલીઓમાં લોકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું. આ દરમિયાન લોકોના હાથમાં નસરાલ્લાહના પોસ્ટર પણ હતા. આ સિવાય જૂના શહેર શ્રીનગર અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવા જ વિરોધ પ્રદર્શન થયા હતા.
'હિઝબુલ્લા દરેક ઘરમાંથી બહાર આવશે'
એક પ્રદર્શનકારી વિદ્યાર્થીએ ઇઝરાયલ પર ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે હું પેલેસ્ટાઇનની વિરુદ્ધમાં રહેલા દરેક વ્યક્તિ સાથે વાત કરી રહી છું. હું લેબનોનના લોકોને પ્રોત્સાહિત કરવા માંગુ છું કે તેઓ બિલકુલ ચિંતા ન કરે કારણકે અમે તેમની સાથે છીએ. ખબર નથી કે તમે કોને શહીદ કર્યા છે હવે હિઝબુલ્લા દરેક ઘરમાંથી બહાર આવશે.
ઈઝરાયેલની ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર, આ એર સ્ટ્રાઈકમાં નસરાલ્લાહ સિવાય તેની પુત્રી ઝૈનબનું પણ મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નસરાલ્લાહની પુત્રીનો મૃતદેહ કમાન્ડર સેન્ટરમાંથી મળ્યો હતો. જેના પર ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ઇઝરાયેલે આ હુમલો ત્યારે કર્યો જ્યારે નસરાલ્લાહ અને ઇરાન સમર્થિત જૂથના અન્ય કેટલાક નેતાઓ લેબનોનની રાજધાની બેરૂતમાં એક બંકરમાં એકઠા થયા હતા. આ લોકો દક્ષિણ બેરૂતના વિસ્તારમાં જમીનથી 60 ફૂટ નીચે ઈઝરાયેલ પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા. IDFએ આ વિસ્તારને નષ્ટ કરવા માટે અંદાજે 80 ટન બોમ્બનો ઉપયોગ
કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech