નવી દિલ્હી : આજથી નવું વર્ષ 2025 શરૂ થયું છે. આ વર્ષે પણ ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. ઘણી મોટી તકો આવશે. નવા સંકલ્પો થશે. નવી આશાઓ અને અપેક્ષાઓ પણ રહેશે. ભારતમાં નવું શું હશે? કયા મોટા વિકાસ થશે જે દેશની તસવીર બદલી નાખશે? રાજનીતિથી લઈને ધર્મ અને રમતગમતથી લઈને વિજ્ઞાન સુધી ઘણી બધી વસ્તુઓ પહેલીવાર બનશે, જેના પર દરેકની નજર રહેશે.
દિલ્હી અને બિહારમાં ચૂંટણી
આ વર્ષે દિલ્હી અને બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી 10 વર્ષથી સત્તામાં છે. કોંગ્રેસે દિલ્હીમાં સતત ત્રણ ચૂંટણી જીતી અને સરકાર બનાવી હતી. ભાજપ ફરી સરકાર બનાવવા માટે પોતાની તાકાતનો ઉપયોગ કરી રહી છે. બિહારમાં એનડીએની સરકાર છે. જેડીયુના વડા નીતીશ કુમાર મુખ્યમંત્રી છે. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી બિહારમાં સત્તાનું કેન્દ્ર છે. 2022માં, તેમણે આઠમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
છ રાજ્યોમાં પેટાચૂંટણી
દેશના છ રાજ્યોમાં પણ પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં પશ્ચિમ બંગાળ, યુપી, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, કેરળ અને ગુજરાતના નામ સામેલ છે. ગુજરાતમાં જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આપ્ના ભૂપત ભાયાણીએ 2022ની વિધાનસભા ચૂંટણી જીતી હતી, પરંતુ તેઓ ડિસેમ્બર 2023માં ભાજપમાં જોડાયા હતા. તમિલનાડુની ઈરોડ, કેરળની દેવીકુલમ, બંગાળની બસીરહાટ, કાશ્મીરની બડગામ બેઠક પર પેટાચૂંટણી યોજાશે.છજજ 100 વર્ષ પૂર્ણ કરશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તેની સ્થાપ્નાના 100 વર્ષ પૂર્ણ કરશે. આરએસએસ વિજયાદશમીના દિવસે તેનો સ્થાપ્ના દિવસ ઉજવશે. સંઘ હાલમાં 80 થી વધુ દેશોમાં સક્રિય છે અને ત્રણ ડઝનથી વધુ વિષયો પર કામ કરી રહ્યું છે. સંઘને વિશ્વની સૌથી મોટી બિનસરકારી સંસ્થા માનવામાં આવે છે. આરએસએસનું મુખ્યાલય નાગપુર છે. સંઘની સ્થાપ્ના કેશવ બલિરામ હેડગેવારે 1925માં 27મી સપ્ટેમ્બર, વિજયાદશમીના દિવસે કરી હતી.
પ્રયાગરાજમાં મહાકુંભ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. તે 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. 45 દિવસ સુધી ચાલનારા કુંભ સ્નાનનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ મેળો દર 12 વર્ષે એકવાર ભરાય છે. આ સમયગાળા દરમિયાન અનેક શુભ કાર્યો કરવામાં આવે છે, જેમાંથી એક શાહી સ્નાન છે. યુપી સરકાર મહાકુંભના આયોજન પર 5435.68 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે.
ભાજપને નવા પ્રમુખ મળશે
ભાજપ 2025માં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરશે. હાલ ભાજપમાં સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. મંડલમાંથી પ્રદેશ પ્રમુખની પસંદગી માટે તૈયારીઓ ચાલી રહી છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં ભાજપ્ના નવા અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. હાલમાં જેપી નડ્ડા ભાજપ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. નડ્ડાએ ફેબ્રુઆરી 2020માં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું.
ટેક્સ રેટમાં નવી સિસ્ટમ
દેશમાં કર પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો થવાની સંભાવના છે, જે તેને સરળ અને વધુ પારદર્શક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સરકાર નવી કર પ્રણાલી લાગુ કરી રહી છે, જેનો હેતુ કરદાતાઓનો અનુભવ સુધારવા અને કર વહીવટને કાર્યક્ષમ બનાવવાનો છે. નાણા મંત્રાલય નવી આવકવેરા પ્રણાલી પર કામ કરી રહ્યું છે. નવી સિસ્ટમ હેઠળ, 125 વિભાગો અને પેટા વિભાગો નાબૂદ થઈ શકે છે. જૂના ઈન્કમટેક્સ એક્ટની જગ્યાએ નવો ઈન્કમ ટેક્સ એક્ટ લાવવામાં આવશે.
વસ્તી ગણતરી થશે
દેશમાં વસ્તી ગણતરી 2025માં જ શરૂ થશે અને 2026 સુધી ચાલશે. વસ્તી ગણતરીના ચક્રમાં પણ ફેરફાર થશે. આગામી દિવસોમાં, પરંપરાગત ચક્ર 2035, 2045, અને 2055 માં થશે. વસ્તી ગણતરી બાદ લોકસભા સીટોનું સીમાંકન થશે, જે 2028 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. અગાઉ, કોરોના રોગચાળાને કારણે વસ્તી ગણતરી 2021 મુલતવી રાખવામાં આવી હતી. તાજેતરમાં જ સેન્સસ રજિસ્ટ્રારે આદેશ જારી કર્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી પર નજર
2025માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. આ ટૂનર્મિેન્ટ આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે, જે ઓડીઆઈ (વન-ડે ઇન્ટરનેશનલ) ફોર્મેટમાં રમાશે. પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) આ ટુનર્મિેન્ટની યજમાની કરશે. ટુનર્મિેન્ટ 19મી ફેબ્રુઆરીથી શ થશે જ્યારે ફાઈનલ 9મી માર્ચે રમાશે. ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે વધુ એક આઈસીસી ટ્રોફી ઉપાડવાની
તક હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોઈ એક સંગઠનને આઝાદી માટે જશ આપી શકાય નહીં : ભાગવત
June 09, 2025 10:08 AMઆ રાજ્યમાં સરકાર વધુ બાળકો પેદા કરવા માટે નાણાકીય સહાય આપશે
June 09, 2025 10:06 AMઓસ્ટ્રેલિયામાં 6 દિવસથી ગુમ હળવદના યુવકની લાશ શંકાસ્પદ અવસ્થામાં મળી
June 09, 2025 10:03 AMવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech